HomeNationalઅમરનાથ યાત્રાના કાફલામાં ચાર બસ વચ્ચે ટક્કર, 36 યાત્રાળુઓ ઘાયલ

અમરનાથ યાત્રાના કાફલામાં ચાર બસ વચ્ચે ટક્કર, 36 યાત્રાળુઓ ઘાયલ

Date:

Related stories

GETCOની ભરતીને લઈને મોટો વિરોધ, 200થી વધુ ઉમેદવારો રસ્તા પર ઉતર્યા

16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને...

મોદીને મળ્યાને બદલાઈ આખી કહાની! 81 વર્ષીય મિત્રને જમીન પાછી આપવાનો નિર્ણય

8 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના મીરા રોડ પર રહેતા 81 વર્ષીય...

સુરતના સારોલીની સાલાસર માર્કેટમાં આગનો કહેર!

સુરતના સારોલી વિસ્તારમાં આજે સવારે અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા...

FAKE PASSPORT CASE: નકલી પાસપોર્ટથી વિદેશ ફરતો હતો ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર!

અમદાવાદમાં પાસપોર્ટ સંબંધિત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત...

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ...
spot_img

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ રામબન નજીક અમરનાથ યાત્રાના કાફલાની ચાર બસો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં 36 યાત્રાળુઓને થોડી ઈજા થઈ હતી. આ બસો જમ્મુના ભગવતી નગરથી દક્ષિણ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પ જઈ રહેલા કાફલાનો ભાગ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ચંદ્રકુટ નજીક થયો હતો. તેમણે કહ્યું હતું કે આ અકસ્માત બસના બ્રેક ફેલ થવાને કારણે થયો હતો. ત્યારબાદ બસ બે અન્ય વાહનો સાથે અથડાઈ હતી.

આ બસો વચ્ચેની ટક્કર બાદ ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. સારવાર બાદ જે બસો ક્ષતિગ્રસ્ત થઈ હતી તેમને બદલવામાં આવી હતી. કાફલો નવી બસો સાથે આગળ વધ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

યાત્રાળુઓને બીજી બસમાં આગળ મોકલાયા
આ અંગે અકસ્માત અંગે રામબનના ડેપ્યુટી કમિશનરે X પર લખ્યું, “પહલગામ કાફલાના છેલ્લા વાહને કાબુ ગુમાવ્યો અને ચંદ્રકોટ લંગર સ્થળ પર ફસાયેલા વાહનોને ટક્કર મારી. જેના કારણે 4 વાહનોને નુકસાન થયું અને 36 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ છે. સ્થળ પર પહેલાથી જ હાજર જિલ્લા વહીવટીતંત્રે ઘાયલોને તાત્કાલિક DH રામબનમાં ખસેડ્યા. મુસાફરોને પાછળથી તેમની આગળની મુસાફરી માટે અન્ય વાહનોમાં ખસેડવામાં આવ્યા હતા.

Subscribe

Latest stories

spot_img