HomeNationalAxiom-4 Missionની સફળ ઉડાન, અવકાશ માંથી શુભાંશુ શુક્લાએ મોકલ્યો પ્રથમ સંદેશ

Axiom-4 Missionની સફળ ઉડાન, અવકાશ માંથી શુભાંશુ શુક્લાએ મોકલ્યો પ્રથમ સંદેશ

Date:

Related stories

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

ભારતના શુભાંશુ શુકલા અન્ય 3 અવકાશયાત્રી સાથે Axiom 4 સેટેલાઇટે અંતિરક્ષમાં સફળ ઉડાન ફરી છે. Axiom 4 ઉપગ્રહ સ્પેક્સ અને નાસાનું સંયુક્ત ભાગીદારીમાં અવકાશયાન છે. આ Axiom 4 સેટેલાઇટ કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્ષ 39એ માંથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે શુભાંશુ શુકલા રાકેશ શર્મા બાદ અવકાશમાં જનાર બીજા અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બની જશે. સેટેલાઇટમાં ઉડાન ભર્યા બાદ શુભાંશુ શુક્લા એ પ્રથમ સંદેશ પણ મોકલ્યો છે.

Axiom 4 સેટેલાઇટમાં ઉડાન ભર્યા બાદ શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી એક સંદેશ પણ મોકલ્યો છે. તેમણે કહ્યું કે, આ મારી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન યાત્રાની શરૂઆત જ નથી, તે ભારતના હ્યુમન સ્પેસ પ્રોગ્રામની શરૂઆત છે. અને હું ઇચ્છું છે કે, તમામ દેશવાસી આ યાત્રાનો હિસ્સો બને છે. તમારી છાતી પણ ગર્વથી ગદગદીત થવી જોઇએ. તમે પણ એટલા જ રોમાંચિત થાવો. ચાલો આપણે બધા સાથે મળી ભારતની માનવ અવકાશ યાત્રાની શરૂઆત કરીયે, ધન્યવાદ, જય હિંદ, જય ભારત.

શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર જનાર પ્રથમ ભારતીય
શુભાંશુ શુકલા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર જનાર પ્રથમ ભારતીય છે. ઉપરાંત વર્ષ 1984માં રાકેશ શર્મા બાદ અવકાશ યાત્રા કરનાર બીજા ભારતીય નાગરિક છે. શુભાંશુ શુકલા એક્સિઓમ મિશન 4 ના પાયલોટ છે, જે એક ખાનગી અંતરિક્ષ મિશન છે. અંતરિક્ષ મિશન નાસા, ઇસરો અને સ્પેસએક્સ દ્વાર સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે.

શુભાંશુ શુક્લા કેટલા દિવસ ISS માં રહેશે?
Axiom મિશન 4 સેટેલાઇટનું લોન્ચ અગાઉ 2 થી 3 વખત વિવિધ કારણોસર સ્થગિત રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 25 જૂન, 2025 બુધવારના રોજ Axiom 4 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. 28 કલાકની મુસાફરી બાદ આ અવકાશયાન ગુરુવારે સાંજે લગભગ 4.30 વાગેની આસપાસ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચવાની અપેક્ષ છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા ત્યા 14 દિવસ સુધી રહેશે.

Subscribe

Latest stories