HomeNationalવિમાનમાં સવાર યાત્રીઓ સિવાય માર્યા ગયેલા 33 લોકોને પણ સહાય આપશે ટાટા...

વિમાનમાં સવાર યાત્રીઓ સિવાય માર્યા ગયેલા 33 લોકોને પણ સહાય આપશે ટાટા ગ્રુપ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ટાટા ગ્રુપે જાહેરાત કરી છે કે તે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય 33 લોકોને પણ 1 કરોડ રૂપિયાનું વળતર આપશે. ટાટા ગ્રુપે કહ્યું છે કે તે વિમાનમાં ન હતા પરંતુ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોને પણ વળતર આપશે. ઘટના સમયે આ 33 લોકો અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના પરિસરમાં હતા. આ સંકુલ અમદાવાદ એરપોર્ટની બાજુમાં આવેલું છે.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકોમાં એરપોર્ટની નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારના ડોકટરો, વિદ્યાર્થીઓ, હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. ટાટા ગ્રુપે પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા 241 લોકોના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી દીધી હતી. ટાટા ગ્રુપે કહ્યું છે કે તે બીજે મેડિકલ હોસ્ટેલના પુનર્વિકાસમાં પણ મદદ કરશે. આ હોસ્ટેલને પ્લેન ક્રેશમાં ભારે નુકસાન થયું છે.

વીમા કંપનીઓ પાસેથી પણ મળશે વળતર
ટાટા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા 1 કરોડ રૂપિયા ઉપરાંત અકસ્માતમાં જીવ ગુમાવનાર યાત્રીઓને વીમા કંપનીઓ તરફથી લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર પણ મળશે.

Subscribe

Latest stories

spot_img