Saturday, Dec 13, 2025

મણિપુરમાં સરકાર રચવા માટે ભાજપના 8 ધારાસભ્યોએ દાવો કર્યો

1 Min Read

મણિપુરમાં આજે બુધવારે 10 ધારાસભ્યોએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

રાજ્યપાલને મળેલા ધારાસભ્યોમાંથી ભાજપના 8, એનપીપી અને અપક્ષના એક એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો છે કે તેમને 22 ધારાસભ્યોનું સમર્થન છે. 60 વિધાનસભા બેઠકો ધરાવતા મણિપુરમાં સરકાર બનાવવા માટે 31 સભ્યોની બહુમતી જરૂરી છે.

મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 9 ફેબ્રુઆરીના રોજ, ભાજપ સરકારનું નેતૃત્વ કરનારા તત્કાલીન સીએમ એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. રાજ્યમાં દોઢ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી હિંસાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ બિરેન સિંહ પર ખૂબ દબાણ હતું.

3 મે, 2023 થી મણિપુરમાં કુકી-મેઇતેઈ વચ્ચે હિંસા ચાલી રહી હતી. વિરોધ પક્ષો પણ આ મુદ્દે એનડીએને સતત પ્રશ્નો પૂછી રહ્યા હતા. લગભગ 21 મહિના સુધી ચાલેલી વંશીય હિંસામાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.

60 બેઠકોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે 37 ધારાસભ્યો છે, એટલે કે બહુમતી આંકડા કરતાં 6 વધુ. એનડીએ પાસે કુલ 42 ધારાસભ્યો છે. આમાં નેશનલ પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ) ના 5 ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.

Share This Article