HomeNationalOperation Sindoor: ભારતની એયર સ્ટ્રાઈકમાં અત્યાર સુધી 90 આતંકવાદી ઠાર

Operation Sindoor: ભારતની એયર સ્ટ્રાઈકમાં અત્યાર સુધી 90 આતંકવાદી ઠાર

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ભારત સરકારે પહલગામ સહિતના તમામ આતંકી હુમલાનો બદલો લેતાં ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પાક-ok કબ્જાવાળા કાશ્મીરમાં એરસ્ટ્રાઈક કરી છે. એકસાથે 9 આતંકી ઠેકાણાઓ પર થયેલી આ કારવાઈમાં અંદાજે 80 થી 90 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે.

22 એપ્રિલના દિવસે આતંકીઓએ જેણે ‘સિંદૂર’નો લોહીથી અપમાન કર્યું હતું, તેનો બદલો ભારતે 15 દિવસમાં જ લઈ લીધો છે. વાયુસેનાએ જે 9 સ્થળોને નિશાન બનાવ્યાં તેમાં સામેલ છે: બહાવલપુર, મુદિરકે, ગુલપુર, ભિંબર, ચાક અમરૂ, બાગ, કોટેલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદ.

આ સ્ટ્રાઈકની ખાસ બાબત એ હતી કે આ ત્રણેય સેના (વાયુસેના, નૌસેના અને સ્થલસેના)નું સંયુક્ત ઓપરેશન હતું. ‘ઓપરેશન સિંદૂર’ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત નજર રાખી. સેના દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે ઓપરેશન અંતર્ગત પાકિસ્તાન તથા પાક-ok કબ્જાવાળા કાશ્મીરમાં આવેલા આતંકવાદી ઢાંંચાઓને નિશાન બનાવાયા હતા — જ્યાંથી ભારત વિરુદ્ધના આતંકી હુમલાઓની યોજના બનાવી અને અમલમાં મૂકવામાં આવતો હતો.

Subscribe

Latest stories