HomeSurat Cityસુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટરબોમ્બ: પોલીસ તોડકાંડનો ખુલાસો

સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટરબોમ્બ: પોલીસ તોડકાંડનો ખુલાસો

Date:

Related stories

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર ચર્ચામાં છે. પ્રજાની સમસ્યાઓ અંગે સરકાર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવનારા કાનાણી ફરી એક વખત પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વખતે उन्होंने સરથાણા પોલીસ સ્ટેશનમાં થયેલા એક તોડકાંડની વિગતો બહાર મૂકી છે.

ધારાસભ્ય કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, 11 જાન્યુઆરી 2025ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા લાઇસન્સ વિના હાર્પિક બ્રાન્ડના ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટે રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 8 થી 10 પોલીસકર્મીઓ સામેલ હતા અને હાર્પિક કંપનીના પ્રતિનિધિ સાથે મળી આરના એન્ટરપ્રાઇઝ પર છાપો માર્યો હતો.

આ રેડ દરમિયાન પોલીસે આરના એન્ટરપ્રાઇઝના માલિકો પાસેથી રૂ. 8,00,000 લઈ ગોડાઉનમાં રહેલો મોટો જથ્થો FIRમાં દર્શાવવાનો ટાળો હતો. FIRમાં ફક્ત રૂ. 3,31,200ના મુદ્દામાલનો જ ઉલ્લેખ કર્યો, જ્યારે હકીકતમાં ગોડાઉનમાં 20 લાખથી વધુનો સામાન હાજર હતો. FIRમાં પણ ગોટાળો કરવામાં આવ્યો અને ત્રણ માલિકો હોવા છતાં માત્ર એકની સામે જ કેસ દાખલ કરવામાં આવ્યો, જ્યારે બાકીના બે માલિકોના નામ FIRમાં દર્શાવવામાં આવ્યા નહોતા.

ધારાસભ્ય કાનાણીએ આરોપ મૂક્યો છે કે, ગોડાઉનમાંથી સંગ્રહિત માલને સુરતના એન્યમ સર્કલ, રીંગ રોડ પાસે આવેલા ક્રિસ્ટલ ફાર્મમાં 5 ટ્રકોમાં ભરી સગેવગે કરવામાં આવ્યો. આ તમામ કામ પોલીસની હાજરીમાં અને સહકારથી કરવામાં આવ્યું, જે એક ગંભીર મુદ્દો છે.

12 જાન્યુઆરી 2025ના રોજ વકીલ હરકિશનભાઈ જયાણીની આગેવાની હેઠળ 200 જેટલા આગેવાનો આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવાની ના પાડી હતી.

Subscribe

Latest stories