HomeNationalમહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું, CM ફડણવીસે કરી કાર્યવાહી

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું, CM ફડણવીસે કરી કાર્યવાહી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં વાલ્મિક કરાડને આરોપી બનાવ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું. રાજીનામાના સમાચાર આવ્યા પછી ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. મેં તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલને મોકલી આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સોમવારે રાત્રે ફડણવીસને મળ્યા હતા અને દેશમુખ હત્યા કેસ અને અન્ય બે સંબંધિત કેસોમાં ગુના તપાસ વિભાગ (CID) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના પરિણામ અંગે ચર્ચા કરી હતી જેમાં કરાડને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે.

શું મામલો છે?
બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ગયા વર્ષે 9 ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તેમણે જિલ્લામાં એક વીજ કંપનીને નિશાન બનાવીને ખંડણીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેને ત્રાસ આપવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી.

27 ફેબ્રુઆરીના રોજ 1200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
રાજ્યના ગુના તપાસ વિભાગ (CID) એ 27 ફેબ્રુઆરીએ દેશમુખની હત્યા અને બે સંબંધિત કેસોમાં બીડ જિલ્લા કોર્ટમાં 1,200 પાનાથી વધુની ચાર્જશીટ દાખલ કરી હતી. બીડના કેજ પોલીસ સ્ટેશનમાં સરપંચની હત્યા, અવડા કંપની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ અને કંપનીના સુરક્ષા ગાર્ડ પર હુમલાના ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.

ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડેએ ઘણા ઓછા સમયમાં બીજીવાર કેબિનેટમાં પ્રધાનપદ મેળવી લીધું હતું. મુંડેની મુશ્કેલીઓ ઠાકરે સરકારમાં પ્રધાન હતા ત્યારથી જ શરૂ થઈ હતી. અરૂણા શર્મા નામની મહિલાએ પોતે મુંડેની પત્ની હોવાનો અને તેમનાથી બે સંતાન હોવાનો દાવો કર્યો હતો. આ મામલે તે સમયે વિરોધપક્ષમાં બેસેલા ભાજપે ભારે વિવાદ કર્યો હતો. અંતે મુંડેએ પોતાના અને અરૂણાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ અરૂણા પોતાના હક માટે કોર્ટમાં પણ ગઈ હતી અને કોર્ટે તેની તરફેણમાં ચુકાદો પણ આપ્યો હતો.

Subscribe

Latest stories

spot_img