HomeNationalદિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલાં કેજરીવાલ અને આતિશીને મળ્યું આમંત્રણ

દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલાં કેજરીવાલ અને આતિશીને મળ્યું આમંત્રણ

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? આ પ્રશ્ન પરનો સસ્પેન્સ આજે સમાપ્ત થવા જઈ રહ્યો છે. નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થોડા કલાકોમાં કરવામાં આવશે. ભાજપ આજે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઇનલ કરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ કાર્ડ પણ આવી ગયું છે અને આમંત્રણ કાર્ડ અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીને પણ મોકલવામાં આવ્યું છે. નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ બપોરે રામલીલા મેદાનમાં યોજાશે. નવા મુખ્યમંત્રી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે, પરંતુ તેમાંથી સૌથી મુખ્ય નામ પ્રવેશ વર્માનું છે, જેમણે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ ઉપરાંત, ખાસ મહેમાનોને પણ આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે, જેમાં અધ્યક્ષ, મહિલા/પુરુષ ઓટો ડ્રાઇવરો, કેબ ડ્રાઇવરો અને દિલ્હીના ખેડૂત નેતાઓના નામનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ બાદ પ્રચંડ જીત મેળવ્યા બાદ પણ ભાજપ હજી સુધી મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરી શકી નથી. જો કે, આજે સાંજે સાત વાગ્યે યોજાનારી ભાજપ ધારાસભ્યો દળની બેઠકમાં CM ના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. આવતીકાલે બપોરે 12.35 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાન પર નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

Subscribe

Latest stories