HomeNationalરાષ્ટ્રપતિ દ્વારા પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી કરાશે સન્માનિત

રાષ્ટ્રપતિ દ્વારા પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી કરાશે સન્માનિત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

પ્રજાસત્તાક દિવસ 2025ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને વિરતા/સેવા(શૌર્ય) પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરાઈ છે. આમાં 95 સૈનિકોને શૌર્ય ચંદ્રક, 101 ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક, 746 ને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવશે. આમાંથી 95 સૈનિકોને શૌર્ય પુરસ્કાર, 101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 સૈનિકોને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવામાં આવશે. બહાદુરી પુરસ્કાર મેળવનારા 95 સૈનિકોમાં 78 પોલીસકર્મી અને 17 ફાયર વિભાગના કર્મચારીઓ છે. 101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. આમાં 85 પોલીસ સેવા, 05 ફાયર સેવા, 07 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ અને 04 કરેક્શનલ સર્વિસ કર્મચારીઓના નામ શામેલ છે.

શૌર્ય ચંદ્રક (GM) ને અનુક્રમે જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવામાં, સંબંધિત અધિકારીની જવાબદારીઓ અને ફરજોને ધ્યાનમાં રાખીને થતા જોખમનો અંદાજ લગાવવામાં આવતા, રેર કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ ગેલેન્ટ્રી અને કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ ગેલેન્ટ્રીના આધારે એનાયત કરવામાં આવે છે. 95 શૌર્ય પુરસ્કારોમાંથી મોટાભાગના, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના 28 કર્મચારીઓ, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 કર્મચારીઓ, ઉત્તર-પૂર્વના 03 કર્મચારીઓ અને અન્ય પ્રદેશોના 36 કર્મચારીઓને તેમની બહાદુરીભરી કામગીરી માટે એનાયત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories