HomeInternationalઇન્ડોનેશિયાના જાવામાં ભૂસ્ખલન અને પૂરથી 17 લોકોનાં મોત

ઇન્ડોનેશિયાના જાવામાં ભૂસ્ખલન અને પૂરથી 17 લોકોનાં મોત

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે દુઃખદ પરિસ્થિતિ સર્જાઇ છે. આ ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને આઠ લોકો હજુ પણ ગુમ છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખીને આ કટોકટીનો સામનો કરવા માટે શ્રે પ્રયાસો કર્યા છે.

ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડને કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડા બર્ગસ કેતુરસરીએ જણાવ્યું હતું કે, જાવામાં ઘણા લોકો કાદવ નીચે દટાઇ ગયા હતા. જ્યારે અમુક લોકો ભૂસ્ખલનને પગલે ભેખડો નીચે દટાયા હતા. આઠ લોકો લાપતા છે. સોમવારે ભારે વરસાદને કારણે નદીઓમાં ભારે પૂરથી મધ્ય જાવા પ્રાંતના નવા ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી. ભેખડો ધસી પડી હતી અને વૃક્ષો ધરાશાયી થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું છે કે 11 ઘાયલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઓકટોબરથી માર્ચ દરમિયાન મોસમી વરસાદને કારણે ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલન સામાન્ય ઘટનાઓ છે. આ દેશ 17,000 ટાપુઓનો સમૂહ છે, યાં ઘણા લોકો પર્વતીય વિસ્તારોમાં અથવા પૂરગ્રસ્ત મેદાનોની નજીક રહે છે. આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે, પૂર અને ભૂસ્ખલનને કારણે જાનમાલના નુકસાનની સંભાવના વધુ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories