HomeNationalપીએમ મોદીએ ભારતીય નૌકાદળને 3 નવા યુદ્ધ જહાજો સમર્પિત કર્યા

પીએમ મોદીએ ભારતીય નૌકાદળને 3 નવા યુદ્ધ જહાજો સમર્પિત કર્યા

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ જવા રવાના થઈ ગયા છે. તેઓ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં મોદી નવી મુંબઈમાં ઈસ્કોનની પહેલ શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદીએ આ દિવસે જણાવ્યું હતું કે, નૌસેનાને નવું સામર્થ્ય મળ્યું છે. નેવીને મજબૂત કરવા માટે અમે પગલા ઉઠાવી રહ્યા છીએ. આજે ભારતની સમુદ્રી વિરાસત નેવીને ગૌરવશાળી ઈતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખૂબ જ મોટો દિવસ છે. છત્રપતિ શિવાજી મહારાજે નૌસેનાને નવું સામર્થ્ય અને વિઝન આપ્યું હતું. આજે તેમની આ પાવન ધરતી પર 21મી સજીની નેવીને સશક્ત કરવા તરફ અમે મોટું પગલું ઉઠાવી રહ્યા છીએ. આ પહેલી વાર થઈ રહ્યું છે, જ્યારે એક ડિસ્ટ્રોયર, એક ફ્રિગેટ અને એક સબમરીનને એક સાથે કમીશન કરવામાં આવી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ત્રણેય મેડ ઈન ઈંડિયા છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતે હંમેશા ખુલ્લા, સુરક્ષિત, સમાવેશી અને સમૃદ્ધ હિન્દ- પ્રશાંત વિસ્તારનું સમર્થન કર્યું છે. એટલા માટે જ્યારે તટીય દેશોના વિકાસની વાત આવે તો ભારતે સાગરનો મંત્ર આપ્યો. સાગરનો મતલબ આ વિસ્તારમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ છે. અમારી સરકારે ત્રીજા કાર્યકાળમાં કેટલાય મોટા નિર્ણયો સાથે શરુઆત કરી. ઝડપથી અમે નવી નીતિઓ બનાવી, દેશની જરુરિયાતોને જોતા અમે અમારા નવા કામ શરુ કર્યા, દેશના દરેક ખૂણે, દરેક સેક્ટરનો વિકાસ થાય, અમે આ ટાર્ગેટ સાથે આગળ ચાલી રહ્યા છીએ.

મેક ઇન ઇન્ડિયાના મંત્ર હેઠળ કામ કરી રહ્યા દેશની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી કર્ણાટકમાં શરૂ થઈ. યુપી-તામિલનાડુમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરને વધુ વેગ મળશે. નેવીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનનો પણ વિસ્તાર કર્યો છે. મઝાગોન ડોક યાર્ડના આપ સાથીઓની ભૂમિકા છે. 10 વર્ષમાં 33 જહાજ અને 7 સબમરીન નેવીમાં સામેલ કરવામાં આવી. તેમાંથી 39 ભારતીય શિપયાર્ડમાં જ બનેલ છે.

અમારી સેનાઓએ આવા 5 હજારથી વધુ સાધનોની યાદી તૈયાર કરી છે, જે હવે તેઓ વિદેશથી આયાત નહીં કરે. જ્યારે ભારતીય સૈનિક ભારતીય સાધનો સાથે આગળ વધે છે ત્યારે આત્મવિશ્વાસ પણ કંઈક અલગ જ હોય છે.

INS નીલગિરી (સ્ટીલ્થ ફ્રિગેટ)

  • P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું આ પ્રથમ જહાજ છે.
  • આ ડિઝાઇન ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • આમાં એડવાન્સ સર્વાઈબિલિટી, સી-કીપિંગનો સમાવેશ છે.
  • આ સ્વદેશી ફ્રિગેટ્સની નેક્સ્ટ જનરેશનનું પ્રતીક છે.
  • તેમાં સ્ટીલ્થ ટેકનોલોજી અને લાંબા સમય સુધી દરિયામાં રહેવાની ક્ષમતા છે.
  • ચેતક, એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર, MH-60R હેલિકોપ્ટરનું ઓપરેશન કરી શકે છે.
  • તેમાં એડવાન્સ સેન્સર અને વેપન સિસ્ટમ છે.

INS સુરત (ડિસ્ટ્રોયર)

  • P15B ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું આ ચોથું અને અંતિમ જહાજ છે.
  • તે વિશ્વના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી વિનાશકારી જહાજોમાથી એક છે. તેમાં 75% સ્વદેશી સામગ્રી છે.
  • તે એડવાન્સ નેટવર્ક અને એડવાન્સ વેપન સેન્સર પેકેજથી સજ્જ છે.

INS વાઘશીર (સબમરીન)

  • P75 સ્કોર્પીન પ્રોજેક્ટ કલવરી ક્લાસની છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે.
  • તેને બનાવવામાં ફ્રેન્ચ નેવી ગ્રુપની મદદ લેવામાં આવી છે.
  • વિશ્વની સૌથી શાંત અને વર્સેટાઈલ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનમાંથી એક છે.
  • તે એન્ટી-સરફેસ વોર, એન્ટી સબમરીન વોર, વાયર-ગાઈડેડ ટોર્પિડોઝ, એન્ટી શિપ મિસાઈલથી પણ સજ્જ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img