કન્નૌજમાં એક મોટો અકસ્માત થયો. અહીં અમૃત ભારત યોજના હેઠળ રેલ્વે સ્ટેશન પાસે એક ઇમારત બનાવવામાં આવી રહી હતી. શનિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે ઇમારતનો લીંટેલ ધરાશાયી થયો. અકસ્માત બાદ કામદારોમાં અફડાતફડી મચી ગઈ હતી. કાટમાળ નીચે લગભગ 36 કામદારો દટાયા હતા, જેમાંથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કામદારો હજુ પણ અટવાયેલા છે.

રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યૂટિફિકેશન કાર્ય દરમિયાન થયો આ અકસ્માતઆ અકસ્માત કન્નૌજ રેલ્વે સ્ટેશન પરિસરમાં ચાલી રહેલા બ્યીટિફિકેશન કાર્ય દરમિયાન થયો હતો. અહીં એક નિર્માણાધીન ઈમારતનો લેટર અચાનક ધરાશાયી થઈ ગયો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હૉસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
ઘટનાસ્થળ પર સ્થાનિક પોલીસ ફોર્સ સાથે SDRFની ટીમ પણ રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચીને રાહત કાર્યમાં ગતિ લાવવા અને ઈજાગ્રસ્તોની સંપૂર્ણ સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઈજાગ્રસ્તો જલદી સારા થાય તેવી કામના કરી છે.
આ પણ વાંચો :-

