સુરત જિલ્લામાં પલસાણાના હરીપુરા ગામની સીમમાં ઝાડી ઝાંખરામાંથી હત્યા કરાયેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેડ મળતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ડરીપુરા ગામની સીમમાં ઝાડી ઝાંખરા માંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં કડોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસ તપાસમાં યુવકના શરીરે ઈજાના નિશાન હોય તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી તેમજ મૃતક યુવક કોણ છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો :-





