HomeInternationalઈઝરાયલના હુમલામાં WHO ચીફ માંડ-માંડ બચ્યા, પ્લેન ક્રૂના સભ્યો ઘાયલ

ઈઝરાયલના હુમલામાં WHO ચીફ માંડ-માંડ બચ્યા, પ્લેન ક્રૂના સભ્યો ઘાયલ

Date:

Related stories

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...

લવ મેરેજના 6 મહિના બાદ પત્નીનું શંકાસ્પદ મોત, Scorpio-N અને ₹30 લાખની માંગનો આરોપ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મુરાદનગરમાં નવવિવાહિતાના શંકાસ્પદ મૃત્યુના કેસે ચકચાર...

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...
spot_img

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસ યમનના સના એરપોર્ટ પર બોમ્બમારાથી માંડ-માંડ બચ્યા હતા. જ્યારે બોમ્બમારો થયો ત્યારે ટેડ્રોસ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તેના સાથીદારો સાથે પ્લેનમાં સવાર થવાના હતા. WHOના ડાયરેક્ટર જનરલે પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ગુરુવારે યમનના સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં બચી ગયા હતા. આ હુમલામાં લગભગ બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ડો. ટેડ્રોસ તેમના સંયુક્ત રાષ્ટ્ર (યુએસ) અને ડબ્લ્યુએચઓના સાથીદારો સાથે ફ્લાઇટમાં સવાર થવાના હતા અને તે જ ક્ષણે હુમલો થયો હતો. આ દરમિયાન ફ્લાઈટ ક્રૂના એક સભ્ય અને ડ્રાઈવરને ઈજા થઈ હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ એદનોમે એક પોસ્ટમાં જણાવ્યું કે યુએનના સ્ટાફને બંધક બનાવી લેવાયા બાદ તેમને મુક્ત કરાવવા વાતચીત માટે અમે યમન ગયા હતા. ત્યાં સ્વાસ્થ્ય અને માનવીય સ્થિતિનું આકલન કરવાનું અમારું મિશન ખતમ થઇ ગયું. જ્યારે અમે ફ્લાઈટમાં બેસવા માટે પહોંચ્યા એરપોર્ટ પર બોમ્બમારો કરી દેવાયો. જેમાં અમારા વિમાનના ક્રૂ મેમ્બર્સમાંથી એક તેની લપેટમાં આવી ગયો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img