HomeNationalસંભલમાં બબાલ કરવાવાળાથી કરાશે નુકસાનની ભરપાઈ: યોગી આદિત્યનાથ

સંભલમાં બબાલ કરવાવાળાથી કરાશે નુકસાનની ભરપાઈ: યોગી આદિત્યનાથ

Date:

Related stories

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ...

VIDEO:માછલીની જેમ તરે છે આ રોબોટ! જાણો આ ચીનની ટેક્નોલોજીનું રહસ્ય

પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ...

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...
spot_img

ઉત્તર પ્રદેશમાં સંભલ રમખાણોમાં પથ્થરમારો કરનારા સોથી વધુ બદમાશોની ઓળખ કરવામાં આવી છે. યોગી સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ અંગે અધિકારીઓને સૂચનાઓ આપી છે. ટૂંક સમયમાં તેમના પોસ્ટર જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. હંગામા દરમિયાન તોફાનીઓ દ્વારા જાહેર સંપત્તિને થયેલ નુકસાનની ભરપાઈ કરાવડાવામાં આવશે. તેમની પાસેથી ખોટ વસૂલ કરવામાં આવશે. યોગી સરકાર પહેલાથી જ બદમાશો અને ગુનેગારો સામે વળતર અંગે વટહુકમ બહાર પાડી ચૂકી છે. ફરાર બદમાશો પર ઈનામ પણ જાહેર થઈ શકે છે. સંભલ રમખાણોમાં અત્યાર સુધીમાં 27 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.

યોગી સરકાર હવે પથ્થરમારોમાં સામેલ તોફાનીઓના નામ અને તસવીરો જાહેર સ્થળોએ પોસ્ટર દ્વારા પ્રદર્શિત કરશે. આ કાર્યવાહીનો હેતુ એ છે કે પથ્થરમારાથી થયેલા નુકસાનની વાપસી માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવે. સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, સંભલ હિંસાના કિસ્સામાં થયેલા નુકસાન માટે આ લોકો પાસેથી નાણાં વસૂલવા માટે કાર્યરત યોજનાઓ અપનાવવામાં આવશે.

ઉત્તર પ્રદેશ સરકાર અગાઉ પણ તોફાનીઓ અને ગુનેગારો સામે આ રીતની કાર્યવાહી કરી ચૂકી છે. તે સમયે સરકારે નુકસાની ભરપાઈ માટે વટહુકમ જાહેર કર્યો હતો. આ વખતે પણ એ જ મોડેલ અપનાવવામાં આવશે, જેમાં જેના કારણે સરકારે નુકસાન ભોગવ્યું છે, તેમની પાસેથી સીધી વસૂલાત કરવામાં આવશે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વોની ધરપકડ માટે સહકાર આપનાર લોકોને સરકાર ઈનામ આપશે. આ જાહેરાતથી રાજયમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોને મજબૂતી મળશે અને હિંસામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી શક્ય બનશે.

આ અથડામણ મામલે કુલ 12 FIR નોંધાઈ છે. તે અંતર્ગત 14 વર્ષથી માંડી 72 વર્ષના આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે ગંભીર કલમો લગાવી આકરી કાર્યવાહી હાથ ધરી છે. FIRમાં પોલીસે સાંસદ જિયા ઉર્ર રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ મૂક્યો છે.

કોર્ટે અહીંની જામા મસ્જિદનો બીજી વાર સર્વે કરવા આદેશ આપતાં રવિવારે એક ટીમ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. દેખાવકારોએ પોલીસ વાહનોની પણ આગચંપી કરી, જેમાં એસપી, સીઓ સહિત અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img