આજે મંગળવારે સવારે વલસાડ જિલ્લાની ધરા 2.5ની તિવ્રતાના ભૂકંપ સાથે ધરા ધુજી ઉઠી હતી. વલસાડ ડિઝાસ્ટર વિભાગે ચેક કરતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામમાં ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું હતું. ધરા ધુજી હોવાની જાણ સ્થાનિક લોકોએ આભુભવી હતી. ઊંચી ઇમારતોમાં રહેતા લોકોએ ભૂકંપનો.અનુભવ કર્યો હતો. મહારાષ્ટ્ર બોડર નજીક આવેલા ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો.

વલસાડ જિલ્લાની હાઈ રાઈઝ ઇમારતોમાં રહેતા લોકોએ મંગળવારે સવારે ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે ચેક કરતા 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું અને તેનું એપી સેન્ટર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોળાઆંબા ગામમાં એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું હતું.
- ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.