HomeNationalજોધપુરમાં મહિલાની લાશના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં બાંધી જમીનમાં દાટી દીધી

જોધપુરમાં મહિલાની લાશના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીમાં બાંધી જમીનમાં દાટી દીધી

Date:

Related stories

PM મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત HCની મહત્વની ટિપ્પણી, 21 સપ્ટેમ્બરે ફરી સુનાવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે જોડાયેલો...

PM Modi Birthday 2026: ગુજરાતમાં આટલા લાખ દીવડાઓથી કાંકરિયા સહિત અનેક સ્થળે ઉજવણી

સાંજ પડતાં જ ગુજરાતના હજારો સ્થળો દીવડાઓની રોશનીથી ઝળહળી...

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...
spot_img

જોધપુરમાં પોલીસે 50 વર્ષની મહિલા અનિતાની હત્યા કરીને તેના બંને હાથ, પગ અને ગરદન કાપીને કોથળામાં ભરીને જમીનમાં દાટી દેવાના મામલામાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મહિલાની હત્યા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. હત્યા પહેલાં જેસીબીથી ઘરની બહાર ખાડો ખોદવામાં આવ્યો હતો. પોલીસે બોરાનાડા વિસ્તારના ગંગાના નિવાસી આરોપી ગુલામુદ્દીન (42)ની પત્નીની અટકાયત કરી છે.

ગુલામુદ્દીનની પત્નીના કહેવા પર પોલીસે અનિતાના મૃતદેહના ટુકડા તેના ઘરની સામેના ખાડામાંથી મેળવ્યા હતા. ગુલામુદ્દીને 3 દિવસ પહેલાં આ ખાડો ખોદ્યો હતો. હત્યા બાદ અનિતાના મૃતદેહના ટુકડા કરી બોરીમાં ભરીને એ જ ખાડામાં દાટી દીધા હતા.

સરદારપુર વિસ્તારમાં રહેતી અનિતા ચૌધરી બ્યુટી પાર્લર ચલાવતી હતી. 27 ઓક્ટોબરે તેના પરિવારજનોએ સરદારપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી ત્યારે તે સીસીટીવી ફૂટેજમાં ટેક્સીમાં જતી જોવા મળી હતી. ત્યારબાદ નંબરોના આધારે ટેક્સી ડ્રાઈવરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે તેણે મહિલાને ગંગાના વિસ્તારમાં ઉતારી હતી. પોલીસના ધ્યાનમાં આવ્યું કે ટેક્સી ડ્રાઈવર તેને જે ઘરમાં લઈ ગયો તે ગુલામુદ્દીનનું ઘર હતું, જે મહિલાની બ્યુટી પાર્લરની દુકાન પાસે જ દુકાન ચલાવતો હતો. ગુલામુદ્દીન ઘરે ન મળતાં પોલીસને શંકા ગઈ હતી.

ગુલામુદ્દીન અનિતાને બહેન માનતો હતો મનમોહને જણાવ્યું હતું કે સરદારપુરા બી રોડ પર ગુલામુદ્દીનની દુકાન અને તેની પત્નીનું બ્યૂટિપાર્લર સામે જ આવેલી છે. તેઓ લગભગ 25 વર્ષથી દુકાન ચલાવે છે. ગુલામુદ્દીન અનિતાને પોતાની બહેન માનતો હતો અને તેને બહેન કહીને બોલાવતો હતો. પતિએ આ મામલે અનિતાને વિશ્વાસમાં લઈને તેની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img