સુરેન્દ્રનગર પાટડીમાં આગની ઘટનામાં 9 લોકો દાઝવાની ઘટના સામે આવી છે. રસોઇ બનાવતી વખતે રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. મહિલા, બાળકો સહિત 9 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. દાઝી ગયેલા લોકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનામાં બે મહિલા અને બાળકો સહિત કૂલ નવ લોકો દાઝ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરના પાટડીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આતરસુંબા ગામના મહાદેવ વાળી ફળીમાં રહેતા અને ખાણીપીણીનો વ્યવસાય કરતા એક વેપારીના મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ગેસની પાઇપલાઇન લીકેજ થવાને કારણે વિકરાળ આગ લાગી હતી. આ સાથે જ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં એક જ પરિવારના નવ લોકો દાઝ્યા હતા. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આસપાસના લોકો તેમજ પરિવારના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાસે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો :-