HomeEntertainment15 વર્ષ બાદ સ્મૃતિ ઈરાની રાજનીતિ મૂકીને ટીવી પર કમબેક કરશે?

15 વર્ષ બાદ સ્મૃતિ ઈરાની રાજનીતિ મૂકીને ટીવી પર કમબેક કરશે?

Date:

Related stories

ભારે કરી! મૃત માનેલી મહિલા સુરતમાં મળી જીવિત

ઝારખંડમાં જે મહિલાને મૃત માની તેની હત્યા અને લાશ...

VIDEO:માછલીની જેમ તરે છે આ રોબોટ! જાણો આ ચીનની ટેક્નોલોજીનું રહસ્ય

પાણીમાં તરતી આ માછલીને પહેલી નજરે જોઈને તમને પણ...

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...
spot_img

રાજન શાહીનો લોકપ્રિય શો ‘અનુપમા’ સિરિયલમાં 15 વર્ષનો લીપ આવ્યો છે. આવી સ્થિતિમાં તેના ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું. મીડિયા રિપોર્ટ અનુસાર સ્મૃતિ ઈરાની પોસ્ટ જનરેશન લીપનો હિસ્સો હશે. જો આ અહેવાલો સાચા સાબિત થશે તો સ્મૃતિ 15 વર્ષના અંતરાલ પછી ટેલિવિઝન પર પાછા ફરશે.

શું ‘અનુપમા’ સાથે સ્મૃતિ ઈરાની નાના પડદા પર વાપસી કરશે? મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, સ્મૃતિ ઈરાની ટીવી પર કમબેક કરવા જઈ રહ્યા છે. તે ટીવી શો ‘અનુપમા’ દ્વારા વર્ષો પછી નાના પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં ચાહકો એ પણ અનુમાન લગાવી રહ્યા છે કે શું સ્મૃતિ આ શોમાં અનુપમા (રુપાલી ગાંગુલી)નું સ્થાન લેશે કે પછી નવા પાત્રમાં જોવા મળશે. જો કે, હજુ સુધી સ્મૃતિએ ‘અનુપમા’માં તેની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, ન તો મેકર્સ દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે.

રાજકારણમાં આવતા પહેલા તેમણે ગ્લેમરની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. પછી ધીમે-ધીમે તેમનું નસીબ ફળી ગયું. તેને 2000માં ટીવી સીરિયલ ‘આતિશ’ અને ‘હમ હૈ કલ આજ ઔર કલ’માં કામ કરવાની તક મળી હતી. જોકે, તેમને એકતા કપૂરની સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી ઓળખ મળી હતી. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

સ્મૃતિ ઈરાની બાળપણથી જ RSSનો હિસ્સો રહ્યા છે. તેમના દાદાજી RSS સ્વયંસેવક હતા અને માતા જન સંઘી હતા. 2003માં BJP જોઈન કર્યા બાદ સ્મૃતિ 2004માં મહારાષ્ટ્ર યુથ વિંગની વાઈસ પ્રેસિડન્ટ બન્યા. 2004માં દિલ્હીના ચાંદની ચોક સીટ પરથી કોંગ્રેસના કપિલ સિબ્બલની વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા. વર્ષ 2010માં સ્મૃતિ BJPના રાષ્ટ્રીય સચિવ અને મહિલા વિંગના અધ્યક્ષ બન્યા. વર્ષ 2014માં યુપીની અમેઠી સીટ પરથી રાહુલ ગાંધીની સામે લોકસભા લડ્યા પરંતુ અહીં પણ હારી ગયા. તેમ છતાં મોદીએ તેમને કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી બનાવ્યા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img