ઉત્તર પ્રદેશમાં વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુપીના બિજનોરમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. અહીં રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા. અહીં મેમૂ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બનતા બાલ-બાલ બચી ગઈ. બિજનોરમાં રેલવે ટ્રેક પર પથરો પાથરવામાં આવ્યા હતા જેના કારણે એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ આ દુર્ઘટના ટળી ગઈ. પ્રાત માહિતી પ્રમાણે મેમૂ એક્સપ્રેસ ટ્રેન સહારનપુરથી મુરાદાબાદ જઈ રહી હતી અને તેને ઉઠાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
બિજનોરના ગઢમાલપુર રેલવે ક્રોસિંગ પર રેલવે ટ્રેક પર પથ્થરો પાથરવામાં આવ્યા હતા. મેમૂ ટ્રેન પથ્થરોને તોડતા નીકળી ગઈ. ત્યારે ડ્રાઈવરે પથ્થરથી ટ્રેનના ટકરવાનો મોટો અવાજ સાંભળ્યો. ત્યારબાદ ડ્રાઇવર એ ઈમરજન્સી બ્રેક લગાવીને ગાડી રોકી અને જોયું તો અપ અને ડાઉન લાઈનના રેલવે પાટા પર બંને તરફ લગભગ 20 મીટર સુધી પથ્થરો પાથરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-