HomeNationalસદગુરુના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટએ આપી મોટી રાહત

સદગુરુના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટએ આપી મોટી રાહત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશને ગુરુવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં તમિલનાડુ સરકાર પાસેથી તેમની અને ફાઉન્ડેશન સામે નોંધાયેલા તમામ અપરાધિક કેસોનો અહેવાલ માંગવામાં આવ્યો હતો.

નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે ફાઉન્ડેશન વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આરોપ છે કે તેમની પુત્રીઓ લતા અને ગીતાને આશ્રમમાં બંધક રાખવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તમિલનાડુ પોલીસે ઈશા ફાઉન્ડેશનને લગતા તમામ અપરાધિક મામલામાં તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવો જોઈએ. બીજા દિવસે 1 ઓક્ટોબરના રોજ લગભગ 150 પોલીસકર્મીઓ આશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા.

150 પોલીસકર્મીઓએ સદગુરુના ઈશા ફાઉન્ડેશનની તપાસ કરી , હાઈકોર્ટે આપ્યો હતો આદેશ - News Capital

સદગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસને મદ્રાસ હાઈકોર્ટમાંથી પોતાની પાસે ટ્રાન્સફર કર્યો હતો. તેમજ તમિલનાડુ પોલીસને હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવેલ સ્ટેટસ રિપોર્ટ સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે પોલીસને હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને આગળની કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી.

ઈશા ફાઉન્ડેશને જણાવ્યું કે બંને છોકરીઓ 2009માં આશ્રમમાં આવી હતી. તે સમયે તેમની ઉંમર 24 અને 27 વર્ષની હતી. તેઓ પોતાની મરજી મુજબ જીવે છે. તેણે કહ્યું કે ગઈ રાતથી આશ્રમમાં હાજર પોલીસ હવે ત્યાંથી નીકળી ગઈ છે. નિર્ણય પહેલા CJIએ તેમની ચેમ્બરમાં બે મહિલા સાધુઓ સાથે પણ ચર્ચા કરી હતી. મહિલાએ જણાવ્યું કે બંને બહેનો પોતાની મરજીથી ઈશા યોગ ફાઉન્ડેશનમાં છે. છેલ્લા આઠ વર્ષથી તેના પિતા તેને હેરાન કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories