Wednesday, Mar 4, 2026

હરિયાણામાં ગંભીર માર્ગ અકસ્માત, બસ પલટી જતાં ૪૦ બાળકો ગંભીર ઇજાગ્રસ્ત

2 Min Read

હરિયાણાના પંચકુલામાં ૪૦ બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી જવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત પિંજોર પાસે થયો જ્યાં હરિયાણા રોડવેઝની બસ પલટી ગઈ. ઘણા બાળકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને પિંજોર હોસ્પિટલ અને પંચકુલાની સેક્ટર-૬ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ગંભીર હાલતને જોતા મહિલાને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવી છે. અકસ્માતનું કારણ હાલમાં બસના ચાલકની ઓવરસ્પીડ હોવાનું કહેવાય છે. બસમાં મુસાફરોની વધુ સંખ્યા એટલે કે ઓવરલોડ અને રોડની ખરાબ હાલત પણ અકસ્માત માટે વધારાના કારણો હોવાનું કહેવાય છે. આ અકસ્માત પિંજોરના નૌલતા ગામ પાસે થયો હતો. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક અહેવાલ મુજબ આ અકસ્માત પિંજોરના નૌલતા ગામ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ વધુ પડતી ઝડપથી ચાલી રહી હોવાથી, આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઉપરાંત બસમાં ક્ષમતા કતા ઘણા વધારે મુસાફરોની અને રોડની ખરાબ હાલત પણ અકસ્માતનું કારણ હોઈ શકે છે.

દરમિયાન, પંચકુલાના કાલકા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના વિધાનસભ્ય પ્રદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ હરિયાણા રોડવેઝની મિની બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જ્યારે કંડક્ટરને ઈજાઓ થવાને કારણે પંચકુલાના સેક્ટર ૬ સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચો :-

Share This Article