Sunday, May 17, 2026

બિહારમાં આકાશમાંથી વીજળી પડવાથી એક જ દિવસમાં ૧૮ લોકોના મોત

2 Min Read

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર ભારતમાં ફેલાઈ ચુક્યું છે, બિહારમાં હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થયો હતો, શુક્રવારે વીજળી પડવાથી બિહારમાં ૧૮ લોકોના મોત થયા હતા. અહેવાલ મુજબ ભાગલપુરમાં ચાર અને બેગુસરાય અને જહાનાબાદમાં ત્રણ-ત્રણ લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં બે-બે લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.

Lightning Accident In India,વીજળી પડવાથી દેશમાં રોજ ચાર લોકોના થાય છે મોત, કારણ પણ છે ચોંકાવનારું - per day average four people died due to lightning in country - Iam Gujaratડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર ૧૮ લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય, લોકો કાયમી મકાનમાં જ રહે છે.

બિહારના લોકો સતત મોસમનો માર સહન કરી રહ્યા છે. એક મહિના પહેલા આકરી ગરમીને કારણે રાજ્યમાં ઘણા લોકોના મોત થયા હતા, હવે ચોમાસામાં પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે. બિહારમાં શુક્રવારે વીજળી પડવાથી ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ઉત્તર બિહારના અનેક જિલ્લામાં ભારે વરસાદ અંગે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. હજું પણ આકાશમાં વાદળ છવાયેલા છે, આકાશમાં કાળા વાદળ નજર આવી રહ્યા છે. આ સાથે જ અનેક જિલ્લામાં વીજળીની શક્યતા છે. તે અંગે હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. વરસાદ દરમિયાન ઘરમાંથી ઓછું નીકળવા અને પાકા ઘરોમાં રહેવા માટે જણાવ્યું છે. બીજી તરફ વીજળીની સ્થિતિમાં બારીઓ અને દરવાજા બંધ રાખવા. ખુલ્લી બારી, દરવાજા કે ધાતુના પાઈપો પાસે ઊભા ન રહેવું.

આ પણ વાંચો :-

Share This Article