દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં નવા કાયદા હેઠળ પ્રથમ કેસ પણ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતા ૨૦૨૩ મુજબ દિલ્હીના કમલા માર્કેટમાં પહેલી FIR નોંધવામાં આવી છે. અહીં જાહેર સ્થળોએ સામાન વેચતા યુવક વિરુદ્ધ કલમ ૨૮૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે દિલ્હી રેલવે સ્ટેશન પર યુવકે અડચણ ઉભી કરીને સામાન વેચ્યો.
સોમવાર (૧ જુલાઈ)થી દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓ અને વકીલો માટે નવો કાયદો યાદ રાખવો ખૂબ મુશ્કેલ બન્યું છે. આ કારણોસર, વહીવટીતંત્ર પોલીસકર્મીઓ માટે સતત બેઠકો અને તાલીમનું આયોજન કરી રહ્યું છે. લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે દિલ્હીના સ્પેશિયલ સીપી, ટ્રેનિંગ, છાયા શર્માએ ૧ જુલાઈ ૨૦૨૪થી લાગુ થનારા ત્રણ ફોજદારી કાયદાઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું, “ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ આજથી અમલમાં આવી રહ્યા છે. આજથી આ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવશે. આ માટેની અમારી તાલીમ ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ છે.અમે એક પુસ્તિકા તૈયાર કરી જેની મદદથી જેમાંથી અમે પોલીસકર્મીઓને આવનારા ફેરફારોની તૈયારી માટે સરળતાથી તાલીમ આપી હતી.
આ પણ વાંચો :-