Sunday, May 17, 2026

ખડગેએ ૧ જૂને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી, જાણો કેમ?

3 Min Read

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે અને કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી છે. ખડગેએ ૧ જૂને ઈન્ડી ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂને જ થવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં લોકસભા ચૂંટણી પર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.

આજે ઇન્ડિયા ગઠબંધન સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરશે |Today the India Alliance will boycott the winter session of Parliament

મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા ગઠબંધનની બેઠક માટે ૧ જૂન નક્કી કરવામાં આવી છે, ત્યારે તેની પાછળ કેજરીવાલ ફેક્ટર પણ મહત્ત્વનું હોવાનું કહેવાય છે. હકીકતમાં આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચેના સંબંધો ક્યારેક નજીક તો ક્યારેક દૂરના રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં બંને પક્ષો નજીક છે, તો પંજાબમાં દૂર છે. પાંચ રાજ્યોમાં ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલા ઈન્ડિયા ગઠબંધનના આ બંને મહત્ત્વપૂર્ણ ઘટકો પંજાબમાં મુખ્ય હરીફ છે. દારૂ કૌભાંડમાં ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે જામીન પર બહાર છે, અને તેમનો સમયગાળો પણ ૧ જૂને પૂરો થઈ રહ્યો છે.

આવી સ્થિતિમાં 1 જૂને ઈન્ડી ગઠબંધનની બેઠક બોલાવવા પાછળ કેજરીવાલ ફેક્ટર પણ હોઈ શકે છે. આ પરિબળની ચર્ચા એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે જો આપણે સીટ વહેંચણી અંગે વિવિધ પક્ષોના નેતાઓની બેઠકોને બાકાત રાખીએ તો ઘટક પક્ષોના ટોચના નેતાઓ ઈન્ડી ગઠબંધનની બેઠકોમાં ભાગ લેતા રહ્યા છે. કેજરીવાલે વચગાળાના જામીનનો સમયગાળો વધુ એક સપ્તાહ વધારવાની અપીલ કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે, પરંતુ જો જામીનનો સમયગાળો વધારવામાં નહીં આવે તો ઈન્ડી ગઠબંધનની ઝડપી ચાલની ગતિ ધીમી પડી શકે છે.

કેરળમાં ડાબેરી પક્ષોએ અલગ સૂર દેખાયો હતો, તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે એકલા ચલોનો નારા લગાવ્યો. પંજાબમાં આમ આદમી પાર્ટી અને જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી પણ એકલા હાથે ચૂંટણી લડી હતી. તો ડાબેરીઓએ તમિલનાડુથી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને બંગાળ સુધી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી પણ પાંચ રાજ્યોમાં ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી સાથે ગઠબંધનમાં છે. ટીએમસી પણ ઈન્ડિયા બ્લોકના બેનર હેઠળ યુપીની ભદોહી સીટ પરથી ચૂંટણી લડી રહી છે. 1 જૂને બેઠક બોલાવવા પાછળનું કારણ ચૂંટણી પ્રચાર દરમિયાનના તણાવને દૂર કરીને પરિણામો પહેલા અલગ- અલગ રાજ્યોમાં વિખરાયેલા ગૃપોને એક કરવાની વ્યૂહનીતિ પણ હોઈ શકે છે.

આ પણ વાંચો :-

Share This Article