HomeNationalકન્હૈયા કુમાર પર શાહી ફેંકવાના કેસમાં એક આરોપીની ધરપકડ

કન્હૈયા કુમાર પર શાહી ફેંકવાના કેસમાં એક આરોપીની ધરપકડ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

કન્હૈયા કુમાર પર શાહી ફેંકવામાં આવી હતી અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવા બદલ સોમવારે એક આરોપી અજય કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

કન્હૈયા કુમારે એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, આ હુમલાનો આદેશ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ આપ્યો હતો. કન્હૈયાએ દાવો કર્યો હતો કે, વર્તમાન સાંસદ મનોજ તિવારી તેમની વધતી લોકપ્રિયતાથી નિરાશ હતા અને તેથી જ તેમણે તેમના પર હુમલો કરવા માટે ગુંડાઓ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે, જનતા ૨૫ મેના રોજ મતદાન કરીને હિંસાનો જવાબ આપશે.

કન્હૈયા કુમારે આ હુમલા માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, વર્તમાન સાંસદ મનોજ તિવારીએ તેમના પર હુમલો કરાવ્યો હતો. જ્યારે કન્હૈયા પર હુમલો થયો ત્યારે સ્થાનિક કાઉન્સિલર છાયા શર્મા પણ તેની સાથે હતા. કન્હૈયાએ કહ્યું હતું કે, જ્યારથી પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી મનોજ તિવારી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તિવારીને લાગવા લાગ્યું છે કે વિસ્તારના લોકો તેમને સ્વીકારી રહ્યા નથી.

દિલ્હીમાં લોકસભાની કુલ સાત બેઠકો છે. દિલ્હીની તમામ સાત સીટો પર ૨૫ મેના મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભાજપે નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી મનોજ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ સીટ પરથી કન્હૈયા કુમારને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટ પર બંને વચ્ચે જોરદાર ટક્કર છે. કન્હૈયાએ પોતાની રાજનીતિની શરૂઆત જેએનયુથી કરી હતી, જ્યારે મનોજ તિવારી પ્રખ્યાત અભિનેતા અને ગાયક હતા, ત્યાર બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img