ગુજરાતના સુરત શહેરમાં હિન્દુ નેતાઓને ધમકીના કેસમાં ટેરર ફંડિંગનો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુપીમાં ૭૦ લાખના ટેરર ફંડિંગમાં પાકિસ્તાનના ડોગરનું નામ બહાર આવતાં તપાસ શરૂ થઇ છે. મૌલવીએ બેન્ક એકાઉન્ટમાં છાશવારે રોકડ જમા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નાંદેડના શકીર ઉર્ફે રજા પાસે પાકિસ્તાનો વર્ચ્યુઅલ નંબર હતો.
પાકિસ્તાનથી આરોપીઓને નાણાં મોકલવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ એટીએસ એ જે આરોપીની ધરપકડ કરી છે તેનું કનેક્શન પણ પાકિસ્તાનના ડોગર સાથે જોડાયેલ છે. જેથી સુરત પોલીસ યુપી એટીએસ સાથે મળીને તપાસ કરશે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બેસીને ભારતના હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે ભારતના જ યુવાનોને સ્લીપર સેલ તરીકે વાપરી રહ્યો હતો. હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા ને જાન થી મારી નાખવાની ધમકી મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી મોલવી સોહિલની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેસેલા ડોગર ભારતના પોતાના સ્લીપર સેલને વર્ચ્યુઅલ નંબર આપતો હતો જેમાં મોલાના મોહમ્મદ રઝાક અને સોહેલ સામેલ છે, આ લોકો પાસેથી ૧૭ વર્ચ્યુઅલ અને ૪૨ ઇમેલ એડ્રેસ મળી આવ્યા છે. આ વર્ચ્યુઅલ નંબર પરથી ગ્રુપ કોલિંગ કરી આ લોકો હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. જેમાં નુપુર શર્મા પણ સામેલ છે. રામ મંદિર માટે પદયાત્રા કરનાર શબનમ શેખ, સુરેશ રાજપુત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા, કુલદીપ સોની સહિતના લોકો સામેલ છે.. હિન્દુવાદી નેતાઓને જાનથી મારી નાખવા માટે આરોપીઓને ડોગર પાકિસ્તાન ભી હથિયાર પણ મોકલવાનો હતો એટલું જ નહીં આ માટે એક કરોડ રૂપિયા પણ પાકિસ્તાનથી મોકલવાની વાત તેને કરી હતી.
આ પણ વાંચો :-