પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ સાથે તેણે IMA પ્રમુખને સખત ઠપકો આપ્યો અને તેમની માફીને પણ ફગાવી દીધી. સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા.
જસ્ટિસ કોહલીએ કહ્યું, ‘તમારી માફી માટે અમારી પાસે એટલું જ કહેવાનું છે, જે અમે પતંજલિ માટે કહ્યું હતું. આ કેસ કોર્ટમાં છે, જેમાં તમે પક્ષકાર છો. તમારા વકીલો ટિપ્પણીઓને દૂર કરવા માટે કહી શક્યા હોત, પરંતુ તમે પ્રેસમાં ગયા. અમે બિલકુલ ખુશ નથી. અમે આટલી સરળતાથી માફ નહીં કરીએ. તેણે કહ્યું, ‘તમે અન્યો માટે કેવો દાખલો બેસાડો છો. આ કેસની સુનાવણી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાની સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે IMAના અધ્યક્ષને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો? એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. તમે એ જ કર્યું છે, જે બીજા પક્ષકારે કર્યું છે. તમે કોર્ટ વિશે કંઈ પણ ના કહી શકો. IMA અધ્યક્ષે કોર્ટની વિના શરતે માફી માગી હતી.
આ પણ વાંચો :-