HomeNationalઈસરો ચીફ સોમનાથને કેન્સર, આદિત્ય એલ-૧ની લૉન્ચિંગના દિવસે થઇ હતી જાણ

ઈસરો ચીફ સોમનાથને કેન્સર, આદિત્ય એલ-૧ની લૉન્ચિંગના દિવસે થઇ હતી જાણ

Date:

Related stories

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-૧ના પ્રક્ષેપણ સમયે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના વડા એસ.સોમનાથ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સોમનાથે એક ઈન્ટરવ્યૂમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે સ્કેનીંગમાં કેન્સરની જાણ થઈ હતી. ચંદ્રયાન-૩ મિશનના પ્રક્ષેપણ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જોકે ત્યાં સુધી કંઈ સ્પષ્ટ થયું ન હતું. તેમણે કહ્યું કે આદિત્ય મિશનના દિવસે તેમને આ રોગ હોવાનું નિદાન થયું હતું. તેનાથી તે અને તેનો પરિવાર બંને પરેશાન હતા.Chandrayaan-Suryayan launch was carried out despite ill health | ISRO ચીફ એસ. સોમનાથને કેન્સર: આદિત્ય L1ના લોન્ચિંગ દિવસે ખબર પડી, 4 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ પાંચમા દિવસે ...

આદિત્ય એલ-1 મિશન ગયા વર્ષે ૨ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન એસ સોમનાથની પણ તપાસ કરવામાં આવી હતી અને સ્કેનિંગમાં પેટમાં થોડો વધારો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, માહિતી મળતાની સાથે જ તે વધુ તપાસ માટે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ જવા રવાના થઈ ગયા. અહીં તેમને વારસાગત રોગ હોવાનું નિદાન થયું હતું. સમાચાર એ છે કે થોડા દિવસોમાં જ સ્પષ્ટ થઈ ગયું કે તે ગંભીર રીતે બીમાર છે.

એક ઈન્ટરવ્યૂમાં સોમનાથે કહ્યું કે સ્કેનિંગમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. ચંદ્રયાન-૩ મિશન લૉન્ચિંગ દરમિયાન પણ કેટલીક હેલ્થની તકલીફો થઈ હતી. જોકે તે સમયે કેન્સરની ખબર નહોતી પરંતુ આદિત્ય મિશનના દિવસે એને આ રોગ થયો હોવાનું નિદાન થયું હતું. આનાથી હું અને મારો પરિવાર દુખી થયાં હતા.

તેમના તમામ સાથી વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી દુઃખી થયા હતા. પરંતુ તેણે આ પડકારજનક વાતાવરણમાં પોતાની જાતને કાબૂમાં રાખી હતી. પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોની સંભાળ લીધી. લૉન્ચિંગ પછી તેણે તેના પેટનું સ્કેન કરાવ્યું. પછી તે ખબર પડી અને જાહેર થયું. પરંતુ વધુ તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઈ ગયા હતા. એવું બહાર આવ્યું હતું કે આ રોગ તેને આનુવંશિક રીતે વારસામાં મળ્યો હતો. તેમને પેટનું કેન્સર હતું.

Subscribe

Latest stories