ભારતમાં છેલ્લા ૨૪ કલાકમા નવા ૬૨૮ કેસ, ૬ લોકોનાં મોત

Share this story

દેશમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાના દર્દીઓ વધતાં હોવાથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલ દ્વારા આપવામાં આવેલ વિગતો મુજબ દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૨૮ દર્દીઓ નોંધાયા હતાં. દરમીયાન કોરોનાને કારણે ૨૪ કલાકમાં ૪લોકોના મોત થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૨૮ નવા દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે ચારનું મોત થયું છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ કોરોનાને કારણે થયેલ મૃત્યુમાં કેરલના બે અને કર્ણાટક તથા ત્રિપુરાના એક એક દર્દીઓનો સમાવેશ છે. આ ચાર દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક ૫,૩૩,૩૯૬ પર પહોંચી ગયો છે.

ભારતમા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના સંક્રમણના ૬૨૮ કેસ નોંધાયા છે, જ્યારે સારવારગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૪,૦૦૨ થઇ હોવાનું ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. આ દરમિયાન ચાર દર્દીઓના મોત નિપજ્યાં છે  કે ગત વર્ષે ૫ ડિસેમ્બર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા ડબલ ડીઝીટમા પહોચી હતી. જો કે ઠંડી અને વાયરસના નવા વેરિયન્ટ જેએન-૧ ના કારણે સંખ્યા વધી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ ૭ જાન્યુઆરીથી JN૧ સબ વેરિયન્ટના કુલ ૬૨૮ નવા કેસ નોંધાયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકમાં ૧૯૯, કેરલમાં ૧૪૮, મહારાષ્ટ્રમાં ૧૩૯, ગોવામાં ૪૭, ગુજરાતમાં 36, આંધ્ર પ્રદેશમાં ૩૦, રાજસ્થાનમાં ૩૦, તામીલનાડૂમાં ૨૬, દિલ્હીમાં ૨૧, ઓડિશામાં ૩, તેલંગણા અને હરિયાણામાંથી ૧-૧ દર્દી મળી આવ્યા છે.