Thursday, Oct 23, 2025

ક્રાઉડફન્ડિંગથી ‘કડકી’ દૂર કરવાનો કોંગ્રેસનો કૉલ

1 Min Read

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણી રણનીતિને લઈ કવાયતમાં લાગી ગયા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, ગુજરાત કોંગ્રેસે તાજેતરમાં જ જિલ્લા પ્રમુખો અને અન્ય જવાબદારીઓ સોંપી હતી.

દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. મહત્વનું છે કે, આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને ભારત જોડો યાત્રા-૨ના સંભવિત આયોજનને લઇ ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા હાજર રહેશે.

આ પહેલ ૧૯૨૦-૨૧માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. આ અભિયાનને સત્તાવાર રીતે ૧૮ ડિસેમ્બરે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ દ્વારા શરૂ કરાશે. અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા ૧૩૮૦ રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે.

Share This Article