HomeInternationalઈઝરાઇલના હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન કવિ રેફાત અલારેરનું મોત

ઈઝરાઇલના હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન કવિ રેફાત અલારેરનું મોત

Date:

Related stories

‘મહિલાઓને શું પહેરવું એ કહેવાનું ક્યારે બંધ થશે?’ કૃત્તિ સેનનનો ટ્રોલર્સને જવાબ

રક્ષાબંધન જેવી પરંપરા અને પહેરવેશને લઈને શરૂ થયેલી ચર્ચાએ...

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

ઇઝરાઇલી સેના યુદ્ધના તમામ નિયમોનો ભંગ કરીને ગાઝા પટ્ટીમાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહી છે. ગુરુવારે ઇઝરાઇલી સેનાના રોકેટ મારામાં પેલેસ્ટિનિયન નાગરીકોએ તેમના પ્રિય કવિ રેફાત અલારીરને ગુમાવ્યા હતા, ઉત્તર ગાઝામાં ઇઝરાઇલી હુમલા તેમનું મોત નીપજ્યું હતું.

પેલેસ્ટિનિયન કવિ, લેખક, સાહિત્યના પ્રોફેસર અને એક્ટીવીસ્ટ ડૉ. રેફાત અલારેરને ટાર્ગેટેડ ઇઝરાઇલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં તેમના ભાઈ, બહેન અને બહેનના ચાર બાળકો પણ માર્યા ગયા હતા. રેફાત અલારેર પરિવારમાં તેમની પત્ની નુસાયબા અને તેમના બાળકો જીવિત બચ્યા છે.

પેલેસ્ટિનિયન એક જાણીતા કવિ, લેખક અને સાહિત્યના વિદ્વાન હતા જે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં સાહિત્ય શીખવતા હતા. અલારેર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા, જ્યાં તેઓ શેક્સપિયરનું સાહિત્ય અને અન્ય વિષયો શીખવતા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories