Saturday, Sep 13, 2025

રાજસ્થાનમાં ભાજપની જીત બાદ CMના નવો ચહેરો કોણ હશે? જુઓ શું કહ્યું જે.પી નડ્ડાએ

2 Min Read

રાજસ્થાનમાં ભાજપની બહુમતી આવે તો મુખ્યમંત્રી કોણ બનશે તેવું સૌ કોઈ વિચારી રહ્યાં છે, જેને લઈ અનેક રાજકીય નિષ્ણાંતો અનેક ભવિષ્યવાણી કરી રહ્યાં છે. આ વખતે ભાજપે દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, બાલકનાથ, દેવજી પટેલ સહિત સાસંદોને ભાજપે મેદાને ઉતાર્યા છે. જેમને વિધાનસભા ચૂંટણી લડવાનો અનુભવ પણ નથી. વિધાનસભા ચૂંટણીમાં સાંસદોને મેદાનમાં ઉતારીને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.

રાજસ્થાનમાં જીત્યા બાદ ભાજપ કોન મુખ્યમંત્રી બનાવશે ? આ સવાલના જવાબમાં જે પી નડ્ડાએ કહ્યું કે, અમારી પાસે સીએમ ચહેરાઓની કોઈ કમી નથી. અમારા મુખ્યમંત્રી અહી ૧૦થી૨૦ મિનિટમાં નક્કી થઈ જાય છે. આ દરમિયાન કોંગ્રેસ સરકારે પણ નિશાન સાંધ્યું હતું કે, નડ્ડાએ કહ્યું કે, ગેહલોત સરકાર દરમિયાન દેવી દેવતાઓના મંદિરો તોડી પાડવમાં આવ્યા હતા.

રાજસ્થાનમાં ભાજપ તરફથી માત્ર વસુંધરા રાજે જ સીએમ ચહેરો બની શકે છે. આ અંગે બીજેપીના એક નેતાએ કહ્યું કે, પાર્ટી ટૂક સમયમાં જ ભાજપના સીએમ ઉમેદવાર વસુંધરા રાજેની જાહેરાત કરી શકે છે. જ્યારે રાજ્યવર્ધનસિંહ રાઠોડે પોતાને સીએમ ચહેરો નકાર્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ રાજસ્થાનની ચૂંટણી પહેલા ભાજપે સીએમ ઉમેદવારને લઈ એક સર્વે પણ કરાવ્યો હતો. જે સર્વેમાં સામે આવ્યું હતું કે, ભાજપ જો વસુધરા રાજેને મુખ્યયમંત્રી બનાવે તો ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો :-

Share This Article