રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં, PM મોદીના ભવિષ્યવાણી

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ભાજપના ઉમેદવારો માટે મત માંગવા રાજસ્થાન પહોંચ્યા. બુધવારે એક જાહેર સભાને સંબોધવા માટે સાગવાડા ડુંગરપુર પહોંચેલા PM મોદીએ આ વિસ્તાર સાથે તેમનો ખાસ સંબંધ જણાવતા કોંગ્રેસ અને અશોક ગેહલોત સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે ભૂમિમાં માવજી મહારાજને સચોટ ભવિષ્યવાણીઓ માટે આશીર્વાદ મળ્યા છે, ત્યાં ભાજપ આવી રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, માવજી મહારાજને વંદન કરતી વખતે હું ભવિષ્યવાણી કરવાની હિંમત કરી રહ્યો છું. મારી આગાહી છે કે આ વખતે જ નહીં, પરંતુ રાજસ્થાનમાં ક્યારેય અશોક ગેહલોતની સરકાર નહીં બને. માવજી મહારાજની ભૂમિ પરથી બોલાયેલા શબ્દો. ક્યારેય ખોટું ન થઈ શકે.

PM મોદીએ આજે રાજસ્થાનના ડૂંગરપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. સાગવાડામાં આયોજિત વિશાળ જનસભામાં તેમણે અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા અને પેપર લીક મુદ્દે અનેક આરોપો લગાવ્યા. આ સાથે જ પીએમ મોદીએ અશોક ગેહલોત અંગે ભવિષ્યવાણી પર કરી નાખી. તેમણે કહ્યું કે, આજે હું એક ભવિષ્યવાણી કરવા માગુ છું કે આ વખતે તો નહીં જ પરંતુ હવે પછી ક્યારેય પણ રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર નહીં બનશે. આ માવજી મહારાજની ધરતી પરથી બોલવામાં આવેલા શબ્દો ક્યારેય ખોટા નહીં પડે.

PM મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જે ધરતીને સટીક ભવિષ્યવાણી માટે માવજી મહારાજના આશીર્વાદ મળ્યા છે. ત્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપની સરકાર બની રહી છે. આ એ ધરતી છે જેણે એવા વીરોને પેદા કર્યા છે જેમણે મહારાણા પ્રતાપની ખ્યાતિ વધારવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આજે હું માવજી મહારાજ જીના આશીર્વાદ લઈને એક ભવિષ્યવાણી કરવાની હિંમત કરી રહ્યો છું. આ પવિત્ર ધરતીની તાકાત છે કે, મારા મનમાં વિચાર આવ્યો છે અને હું માવજી મહારજની માંગીને એ હિમ્મત કરી રહ્યો છું. હવે રાજસ્થાનમાં ક્યારેય પણ અશોક ગેહલોતની સરકાર નહીં બનશે.

આ પણ વાંચો :-