HomeNationalરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય અને તારીખ જાહેર, જાણો વિગત

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય અને તારીખ જાહેર, જાણો વિગત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ કલાકે રામ લલ્લાનાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા ક્રાયક્રમને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સંઘ પરિવારે રવિવારે બેઠક યોજી હતી. જેમાં સમારોહને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરને લઈને બનાવવામાં આવેલો પ્રથમ અભિયાન રવિવારથી શરૂ થયો હતો. આ અભિયાન ૨૦મી ડિસેમ્બર સુધી ચાલશે. અયોધ્યામાં રામ મંદિરના કાર્ય માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના અમલીકરણ માટે ઘણી સંચાલન કમિટીની રચના કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા અને બ્લોક સ્તરે ૧૦-૧૦ લોકોની ટીમ બનાવવામાં આવશે.

જિલ્લા અને બ્લોક સ્તરે બનાવવામાં આવી રહેલી ટીમોમાં રામ મંદિર આંદોલનના કારસેવકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. આ ૨૫૦ સ્થળોએ બેઠકો યોજશે અને રામ મંદિરની ઉજવણીમાં શક્ય તેટલા લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરશે. ૧ જાન્યુઆરીથી બીજો તબક્કો શરૂ થશે. જેમાં ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવશે. આ તબક્કામાં ૧૦ કરોડ પરિવારોને રામ લલ્લાની મૂર્તિની અખંડ તસવીરો અને પત્રિકાઓ આપવામાં આવશે. આ ચરણમાં લોકોને વિધિના દિવસે દીપોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવશે.

જેમાં દેશભરમાં ઉજવણી થશે અને એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે, દરેક ઘરમાં ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. ચોથા ચરણ સમગ્ર દેશના રામ ભક્તોને રામલલાના દર્શન કરાવવાની યોજના છે. જે ૨૬ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૨ ફેબ્રુઆરી સુધી ચાલશે. જે પ્રાંતીય સ્તરે ચાલશે. ૩૧મી જાન્યુઆરી અને ૦૧મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કાર્યકર્તાઓને દર્શન કરાવવાનો પ્લાન છે. રામનગરીની ૧૪ કોસી પરિક્રમા આજે રાત્રે લગભગ ૨ વાગ્યાથી શરૂ થશે. આ પરિક્રમામાં લગભગ ૪૨ કિલોમીટરનું અંતર નક્કી કરવામાં આવ્યું છે. આ માટે વહીવટીતંત્રે રસ્તાઓ અને ચોકોનું સમારકામ કરાવ્યું છે. ભક્તોની પરિક્રમા દરમિયાન ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવશે. યુપી રોડવેઝની બસોનો રૂટ પણ વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories