Sunday, Sep 14, 2025

ગાંધીનગર હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત પાંચ લોકોના મોત, એક ઘાયલ

1 Min Read

ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઈવ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. કારમાં કુલ ૬ લોકો સવાર હતા. જેમાં ૫ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હતા. પેથાપુર પોલીસે ગુનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા આ અક્સ્માત થયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ ૬ વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. ૫ મૃતક વ્યક્તિમાં મોહંમદ અલ્ફાઝ, સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, મોહંમદ બેલીમ, અસ્ફાક ચૌહાણની ઓળખ થઇ છે અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિની શાહનવાબ ચૌહાણ તરીકે ઓળખ થઇ છે.

આ પણ વાંચો :-

Share This Article