HomeNationalચેન્નાઈ-બેંગ્લોર હાઈવે પર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત, ૫૦થી વધુ ઘાયલ

ચેન્નાઈ-બેંગ્લોર હાઈવે પર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત, ૫૦થી વધુ ઘાયલ

Date:

Related stories

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

ગુજરાતી ભાષા ક્યાંથી આવી અને કેવી રીતે બની આટલી સમૃદ્ધ? જાણો રસપ્રદ ઈતિહાસ

ગુજરાતી માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ સદીઓના ઇતિહાસ, સંસ્કૃતિ,...

તમિલનાડુમાં મોટી દુર્ઘટનાની જાણકારી સામે આવી છે. બે બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. પાપ્ત માહિતી મુજબ આ રોડ અકસ્માતમાં ૫ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તિરુપત્તુર જિલ્લાની વાનીયમબાડી સરકારી હોસ્પિટલમાં અને વેલ્લોરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે ચેન્નાઈ-બેંગ્લોર નેશનલ હાઈવે પર સરકારી બસ અને અન્ય બસ ધડાકાભેર અથડાઈ હતી. જે ગંભીર અકસ્માતના પગલે પાંચ લોકોના મોત થયા છે જ્યારે ૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બંને બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાગીને ભૂકા થઈ ગયા છે. પોલીસે ઘટનાસ્થળે દસ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories