HomeInternationalપેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર જીવલેણ હુમલો, ઇઝરાઇલને યુદ્ધનો જવાબ ના આપી...

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર જીવલેણ હુમલો, ઇઝરાઇલને યુદ્ધનો જવાબ ના આપી શકતા કરાયો એટેક

Date:

Related stories

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ખાંડના ભાવમાં અચાનક ઉછાળો કેમ? જાણો ભાવ વધવા પાછળના 5 મોટા કારણો

તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ દેશમાં ખાંડના ભાવમાં...

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

અબ્બાસને ‘સન ઓફ અબુ જંદાલ’એ ઇઝરાઇલ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. સન ઓફ અબુ જંદાલ વેસ્ટ બેન્કની પેલેસ્ટાઇની સુરક્ષા પ્રણાલીની અંદર સંગઠિત છે. મંગળવારે ડેડલાઇન ખતમ થયા પછી અબ્બાસના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. સન ઓફ અબુ જંદાલ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે.

હુમલાખોરોએ અબ્બાસના કાફલા પર ગોળીબાર કર્યો હતો. એક ઘર સામે ઉભેલા વાહનની આસપાસ કેટલાક બંદૂકધારી લોકો હાજર હતા. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી અબ્બાસના એક બોડીગાર્ડને લાગી હતી. ગોળી લાગતા જ તે જમીન પર પડી ગયો હતો. આ દરમિયાન અન્ય લોકોએ હુમલાખોરો તરફ ગોળીઓ વરસાવી હતી. પાસે રહેલા લોકો જમીન પર પડેલા બોડીગાર્ડની બંદૂક લઇને ભાગે છે અને પછી મોરચો સંભાળવાનો પ્રયાસ કરે છે.

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે લડાઇ એક મહિનાથી ચાલી રહી છે. સાત ઓક્ટોબરે પેલેસ્ટાઇન આતંકી સંગઠન હમાસે ઇઝરાઇલ પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો હતો, જેને કારણે ઇઝરાઇલમાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૦૦થી વધુ લોકોને હમાસના આતંકીઓએ બંધક બનાવ્યા હતા. હુમલાના જવાબમાં ઇઝરાઇલે યુદ્ધની જાહેરાત કરી હતી. ઇઝરાઇલ દ્વારા ગાઝામાં કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધી ૧૦,૩૦૦ લોકો માર્યા જવાના સમાચાર છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories