HomeInternationalઓપરેશન અજયમાં 235 ભારતીય નાગરિકોને લઈને ઇઝરાઇલથી બીજી ફ્લાઈટ ભારત પહોંચી

ઓપરેશન અજયમાં 235 ભારતીય નાગરિકોને લઈને ઇઝરાઇલથી બીજી ફ્લાઈટ ભારત પહોંચી

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

ઈઝરાઇલ હમાસ યુદ્ધ થોભવાનું નામ નથી લઈ રહ્યું. હમાસના હુમલા બાદ હવે ઈઝરાઇલ આક્રમક બન્યું છે અને ગાઝા પટ્ટી પર સતત અટેક કરી રહ્યું છે. ઈઝરાઇલની તરફથી સતત ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આશરે ૧૧ લાખ લોકોને ઘર છોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પશ્ચિમી દેશો ઈઝરાઇલનું સમર્થન કરી રહ્યાં છે. આ યુદ્ધને કારણે ઈઝરાઇલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય આદર્યું છે.

ઓપરેશન અજયની બીજી ફ્લાઇટ શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. આ વિમાનમાં ૨૩૫ ભારતીય નાગરિકો સવાર હતા, જેઓએને ઈઝરાઇલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં :૪૪૭ ભારતીયોને પરત લવાયા છે.

ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઇટે સ્થાનિક સમય મુજબ (ઈઝરાયલ) શુક્રવારે રાતે ૧૧:૨૦ વાગ્યે ઉડાન ભરી હતી. ઈઝરાઇલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન હજુ ચાલુ રહેશે. ઈઝરાઇલમાં લગભગ 18,000થી વધુ ભારતીય નાગરિકો રહે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img