Saturday, Sep 13, 2025

અમિત શાહે બેઠક બોલાવતાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ સંગઠનમાં ફેરફારની ચર્ચા

1 Min Read

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફારની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાત ભાજપ સંગઠનના હોદેદારોને દિલ્હી બોલાવવવામાં આવ્યા છે. આજે ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બેઠક બોલાવી છે. જેમાં સંગઠનની સાથે ગુજરાત સરકારના વિવિધ કામોની પણ ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત ભાજપના ટોચના પાંચ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સંગઠન મહામંત્રી રત્નાકર, કે કૈલાશનાથન હાજર રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બેઠક બોલાવી છે. જેના માટે પણ તમામ નેતાઓ પહોંચશે. દિલ્હીમાં બપોર બાદ બંધ બારણે મહત્વની બેઠક યોજાવાની શક્યતા છે

ગુજરાત ભાજપના ટોચના પાંચ નેતાઓની દિલ્હીમાં અમિત શાહ સાથે બંધ બારણે બેઠક મળવાની છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજરી આપવાના છે. સાથે જ સંગઠનમાંથી મહામંત્રી રત્નાકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન પણ હાજર રહેવાના છે. દિલ્હીમાં બપોર બાદ બંધ બારણે યોજાનારી આ મહત્વની બેઠકમાં ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article