HomeNationalફ્રિજમાં વિસ્ફોટ થતાં ભાજપના નેતા સહિત પરિવારના 6 ના મોત

ફ્રિજમાં વિસ્ફોટ થતાં ભાજપના નેતા સહિત પરિવારના 6 ના મોત

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

જલંધરમાં રવિવારે મોડી રાત્રે એક મકાનમાં લાગેલી આગના કારણે મૃત્યુઆંક હવે 6 પર પહોંચી ગયો છે. ભયાનક અકસ્માતમાં ખરાબ રીતે દાઝી ગયેલા પરિવારના વડા ઈન્દરપાલ ઘાઈનું સોમવારે સવારે લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુનું કારણ રેફ્રિજરેટરમાં મોડી રાત્રે થયેલો વિસ્ફોટ હતો, જે માત્ર સાત મહિના પહેલા ખરીદ્યો હતો. આ આગમાં પરિવારના ત્રણ માસૂમ બાળકોના પણ મોત થયા છે.

પંજાબના જલંધરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે ઘરમાં રાખેલા રેફ્રિજરેટરમાં જોરદાર વિસ્ફોટ થતાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. આગની આ ઘટનામાં એક જ પરિવારના 3 બાળકો સહિત 6 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ઘરના વડા, બીજેપી નેતા યશપાલ ઘાઈ, તેમના પુત્ર ઈન્દ્રપાલ ઘાઈ, ઈન્દરપાલની પત્ની રૂચી, ત્રણ બાળકો દિયા, અક્ષય અને મંશાનો સમાવેશ થાય છે. યશપાલની પત્ની, વૃદ્ધ બલબીર કૌર, જે ઘટના સમયે પડોશીઓના ઘરે ગઈ હતી, તે સુરક્ષિત રીતે બચી ગઈ છે.

અકસ્માત સમયે આખો પરિવાર ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઘરના રેફ્રિજરેટરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ પછી આખા ઘરમાં આગ લાગી ગઈ. ગેસની દુર્ગંધ એટલી પ્રબળ હતી કે ઘરની અંદર બેઠેલા પરિવારના સભ્યો કંઈ વિચારે તે પહેલા જ બેભાન અવસ્થામાં આગની લપેટમાં આવી ગયા હતા. ભયાનક આગ જોઈ પાડોશીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.

ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘરમાંથી ખરાબ રીતે દાઝી ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તબીબોએ પરિવારના ત્રણ સભ્યોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બેની હાલત નાજુક જોતા તેમને ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા. સોમવારે સવારે એકનું મોત થયું હતું. ગેસના કારણે ઘરમાં એટલી મોટી આગ લાગી હતી કે ફાયર બ્રિગેડ જવાનોએ મોડી રાત સુધી તેને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img