Saturday, Sep 13, 2025

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

1 Min Read
  • ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. નરેશ પટેલની કંપનીને ૪૦ કરોડ રૂ.નું આર્થિક નુકશાન પહોંચાડયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

મેટોડા ખાતે પટેલ બ્રાસ વર્ક નામની કંપની આવેલી છે. રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે કંપનીના ભૂતપૂર્વ કર્મચારી સહિત ૫ વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

આરોપીઓએ કંપનીની ડિઝાઈન અને ડ્રોઈંગમાંથી લોગો દૂર કરી પોતાની અંગત માલિકીની દર્શાવી અંગત ઉપયોગ કર્યો હતો. આ મામલે પોલીસે IPC 406, 408, 418, 465, 467, 468, 120 (B), કોપી રાઈટ એક્ટ તેમજ IT એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સમગ્ર તપાસ LCB PI ને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article