HomeSportsઆયરલેન્ડ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ હશે કેપ્ટન, જાણો કોને...

આયરલેન્ડ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જસપ્રીત બુમરાહ હશે કેપ્ટન, જાણો કોને કોને સમાવવામાં આવ્યા

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img
  • આયરલેન્ડની વિરુદ્ધ આવતા મહિને રમાઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરાયો છે.

આયરલેન્ડ વિરુદ્ધ આવતા મહિને રમાનારી ત્રણ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ પરત ફર્યો છે. એટલું જ નહી જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ આયરલેન્ડ મુલાકાત પર યુવાક ખેલાડીને પણ મોકલવાનો નિર્ણય લીધો છે. ઋતુરાજ ગાયકવાડને આયરલેન્ડ મુલાકાત માટે ટીમનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે.

આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા રિંકૂ સિંહને આખરે ભારતીય ટીમમાં સ્થાન અપાયું છે. જિતેન શર્માને પણ આયરલેન્ડની વિરુદ્ધ ટી૨૦ સીરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બુમરાહ ઉપરાંત ઈજામાંથી ઉભરેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લાંબા સમયથી શિવમ દુબેને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

ટીમ આ પ્રકારે છે : જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજૂ સેમસન, જિતેન શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાજ અહેમદ, રવિ બિશ્નોઇ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાનનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો છે.

Subscribe

Latest stories

spot_img