HomeGujaratરાષ્ટ્રપતિ કરશે ગુજરાતના એસટી ડ્રાઈવરનું સન્માન ! 27 વર્ષમાં કોઈ અકસ્માત નહીં,...

રાષ્ટ્રપતિ કરશે ગુજરાતના એસટી ડ્રાઈવરનું સન્માન ! 27 વર્ષમાં કોઈ અકસ્માત નહીં, કે નથી પાડી એક પણ રજા

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

રાષ્ટ્રપતિ કરશે ગુજરાતના એસટી ડ્રાઈવરનું સન્માન ! 27 વર્ષમાં કોઈ અકસ્માત નહીં, કે નથી પાડી એક પણ રજા

  • ગુજરાતના એસટી ડ્રાઈવરનું દિલ્લીના દરબારમાં થશે સન્માન. ગુજરાતના એસટી ડ્રાઈવરનું ફરજ પર શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવશે.

કહેવાય છે કે આળસુઓના પીરને રસ્તો કડી જડતો નથી અને અડગ મનના મુસાફીરને હિમાલય (Himalayas) પણ નડતો નથી. ત્યારે આ કહેવાતને ખરા અર્થમાં સાર્થક કરી છે ખેરાલુના પીરએ. જી હાં ગુજરાત સરકારના એસટી વિભાગમાં (ST Dept) ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરની કહાની સાંભળીને તમે પણ કહેશો કે બોસ આ કર્મનિષ્ઠની કર્તવ્ય પરાયણતાને વંદન છે. મૂળ વડનગરના (Vadnagar) વતની અને હાલ મહેસાણાના (Mehsana) ખેરાલુ તાલુકામાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરની કહાની જાણવા જેવી છે.

આ છે કરોડપતિ વાળંદ ! શાહરૂખ-સલમાન પણ છે પાછળ, ક્યારેક 5 રૂપિયામાં કાઢતા હતા આખો દિવસ

પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે. 18મી એપ્રિલે દિલ્લીમાં યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમનું સન્માન કરવામાં આવશે. મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની 27 વર્ષની નોકરી દરમિયાન ક્યારેય રજા લીધી નથી. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, કોઈ અકસ્માતનો બનાવ નહીં. તેમની વિશેષતા રહી.

શું છે આ બસ ડ્રાઈવરની વિશેષતા?

એસટી ડ્રાઈવર તરીકેની 27 વર્ષની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો નથી. એટલું જ નહીં પીરુભાઈએ છેલ્લાં 27 વર્ષમાં ફરજ પર એક પણ રજા લીધી નથી. તેમની સામે કોઈ ખાતાકીય તપાસ પણ નથી.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img