HomeCrimeઅંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે ? બે બાળકીઓ પર થયા એવા એવા...

અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે ? બે બાળકીઓ પર થયા એવા એવા અત્યાચાર…જાણીને લોહી ઉકળી જશે

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

When will the ghost of superstition 

  • જૂનાગઢના પીપળીમાં સતના પારખા કરવા બાળકીઓ પર અત્યાચાર માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવન કુંડના અંગારા પર ચલાવાઈ. માતાએ વિરોધ કરતા સાસરિયાઓએ માર માર્યો.

21મી સદીમાં જીવતા આપણે આધુનિકતાના મોટા મોટા બણગા ફૂંકીએ છીએ પરંતુ હજુ પણ એવા અનેક લોકો જોવા મળે છે જે અંધશ્રદ્ધાનો (Superstition) પીછો છોડતા નથી અને તેના પગલે પોતાના કુંટુંબીજનોને પણ હેરાન પરેશાન કરે છે અને મોતના મુખમાં સુદ્ધા ધકેલતા હોય છે.

જૂનાગઢના કેશોથી પણ આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સતના પારખા કરવા માટે બાળકીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવનકુંડના અંગારાઓ પર ચલાવવામાં આવી. બાળકીની માતાએ તેનો વિરોધ કર્યો તો સાસરિયાઓએ ઢોર માર માર્યો.

મળતી માહિતી મુજબ જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ (Keshod) તાલુકાના પીપળીમાં ગજેરા પરિવારની દીકરીઓમાં ભૂતપ્રેત હોવાનું કહીને ફૂલ જેવી દીકરીઓ પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના સભ્યોએ અત્યાચાર ગુજારવામાં કઈ બાકી ન રાખ્યું. દીકરીને ખુબ મારી. વાત જાણે એમ છે કે ગજેરા પરિવારમાં પુત્રવધુ પોતાની ત્રણ દીકરીઓ સાથે પતિથી સાત વર્ષથી અલગ રહે છે.

ઘરમાં હવનનું આયોજન થતા સમાધાનનું કહીને માતાને આમંત્રણ મોકલ્યું હતું. આ કારણસર માતાએ પહેલા દિવસે બે દીકરીઓને મોકલી અને પછી સવારે અન્ય એક પુત્રીને લઈને હવનમાં હાજરી આપવા ગઈ. પણ પછી એવું થયું કે હવન બાદ પતિ સહિત પરિજનોનું વર્તન જ સાવ બદલાઈ ગયું.

માતાના જણાવ્યાં મુજબ તેમણે પહેલા દિવસે બે દીકરીઓને મોકલી અને બીજા દિવસે તેઓ પોતે ગયા હતા પરંતુ જાણવા મળ્યું કે પહેલી રાતે ઓ તથા મારા પતિ સહિત સાસરિયાઓએ મારી એક દીકરીને ધૂણાવી હતી અને એમ કહ્યું કે દીકરીને માતાજી  આવે છે એ પ્રમાણ આપશે. અત્યાચાર વધતા ગયા. દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યા, ખાવા માટે અન્નનો દાણો પણ ન આપ્યો અને હેરાન કરવામાં આવી. માતાએ વિરોધ કર્યો તો દીકરીઓ સાથે ઢોર માર માર્યો.

ઘટનાના પડઘા :

આ સમગ્ર ઘટનાને પગલે મહિલા અને બાળવિકાસ મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ ઘટના કઈ પહેલી નથી આ અગાઉ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ જોવા મળી છે. જેને જોતા એમ થાય કે આધુનિકતાના બણગાઓ વચ્ચે આવી ઘટનાઓ પર ક્યારે અંત આવશે?

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img