HomeEntertainment વેલેન્ટાઈન ડે કેમ ૧૪ ફેબ્રુઆરીએ જ ઉજવાઈ છે ? જો તમે નહીં...

 વેલેન્ટાઈન ડે કેમ ૧૪ ફેબ્રુઆરીએ જ ઉજવાઈ છે ? જો તમે નહીં જાણતા હોવ તો આ છે રોચક ઈતિહાસ

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Why is Valentine’s Day celebrated on February 14?

  • 7 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ચુકી છે. પ્રેમમાં હોય તેવા યુગલો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ વીક અથવા વેલેન્ટાઈન ડે ઉજવવા પાછળની સ્ટોરી શું છે?

વેલેન્ટાઈન વીકની (Valentine week) દુનિયાભરમાં શરૂઆત થઈ ગઈ છે. સાત ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન્સ વીકની શરૂઆત થઈ ચુકી છે. આવે જાણીએ આ દિવસે આપણે વેલેન્ટાઈન્સ સાથે જોડાયેલો ઈતિહાર જાણીએ. કોણ હતા સંત વેલેન્ટાઈન (Saint Valentine) કેમ તેમના નામ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શું છે વેલેન્ટાઈન ડેનો ઈતિહાસ? 

માનવામાં આવે છે કે વેલેન્ટાઈન્સ ડેની શરૂઆત પ્રાચીન રોમમાં થઈ હતી. જ્યારે 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી લુપર્કેલિયાનું સેલિબ્રેશન કરવામાં આવતું હતું. આ દિવસે પુરૂષો દ્વારા એક બકરી અને એક કૂતરાની બલી આપવામાં આવતી હતી અને પછી મહિલાઓને આ બલી આપેલા જાનવરોના ચામડામાંથી મારવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે તેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા સારી થાય છે.

આ મહોત્સવ વખતે મેચ-મેકિંગ લોટરી પણ કાઢવામાં આવતી હતી. પુરૂષ એક જારમાંથી મહિલાઓનું નામ કાઢતા હતા અને જેનું નામ જારમાંથી નિકળતુ તે મહિલાની સાથે કપલ બની જતા હતા. લુપર્કેલિયાના પર્વ ત્રીજી શતાબ્દી ઈસ્વીમાં વેલેન્ટાઈન ડેના રૂપમાં બદલાઈ ગયું.

14 ફેબ્રુઆરીએ આપવામાં આવી ફાંસી  :

સમ્રાટ ક્લોડિયસ બીજાએ સંત વેલેન્ટાઈન્સને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. સંત વેલેન્ટાઈન્સ એક પાદરી હતા તેમણે ઈસાઈ કપલને લગ્નમાં મદદ કરી હતી. સમ્રાટ ક્લાડિયસ દ્વિતીય પુરૂષોના વિવાહના વિરૂદ્ધ હતા અને આદેશ આપ્યો હતો કે સંત વેલેન્ટાઈનનું માથુ કલમ કરી દેવામાં આવે.

તેમને 14 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે સંત વેલેન્ટાઈન જેલમાં હતા. તેમણે જેલરની આંધળી દિકરીની દેખરેખ માટે તેને એક કાર્ડ પણ લખ્યું, જેના પર લખ્યું હતું, “ફોર યોર વેલેન્ટાઈન”.

જુનો પર્વ નવો તહેવાર :

5મા દશકમાં પોપ ગેલેસિયસે લુપર્કેલિયાની મૂર્તિ પૂજનના અનુષ્ઠાનોનો બહિષ્કાર રહ્યો અને તેને વેલેન્ટાઈન ડે સાથે જોડી દીધો. જુનો પર્વ નવો તહેવાર બની ગયો. જેફ્રી ચોસર અને વિલિયમ શેક્સપિયર જેવા લોકપ્રિય કવિઓએ પણ પ્રેમ અને જુનૂન વિશે સારા વાતો લખીને તે દિવસને લોકપ્રિય બનાવવાનું શરૂ કર્યું.

તેને આખી દુનિયામાં 14 ફેબ્રુઆરીએ પ્રેમના દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ. હવે આ તહેવાર બજારમાં પણ નવી રોનક લાવે છે. નવી પેઠીના યુવાનો વેલેન્ટાઈન આખુ વીક સેલિબ્રેટ કરે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img