HomeInternationalજુઓ દુનિયાના મહાન વ્યક્તિએ કેવી રીતે ‘યોગ’ દ્વારા છોડ્યા દારુ અને ડ્રગ્સ...

જુઓ દુનિયાના મહાન વ્યક્તિએ કેવી રીતે ‘યોગ’ દ્વારા છોડ્યા દારુ અને ડ્રગ્સ ?

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

See how the greatest

રસેલ બ્રાંડ (Russell Brand) એક પ્રામાણિક અને પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે ઓળખાય છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ તે એસિડ, હેરોઈન, ડ્રગ્સ અને આલ્કોહોલ જેવી સમસ્યાઓથી ઘેરાયેલો હતો. પરંતુ જ્યારથી તે યોગમાં જોડાયો ત્યારથી તે સમજી ગયો કે તે તેના આત્મા અને હૃદયને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે. રસેલ બ્રાંડ કહે છે કે – યોગાભ્યાસ દ્વારા, હું પ્રમાણિકતા માટે ઓળખાયો. દરેક ક્ષણે ભગવાનને મળવાથી, હું એક પ્રામાણિકતા અનુભવું છું જે મેં મારા જીવનમાં ક્યારેય અનુભવ્યું નથી.

રસેલે 23 ઓક્ટોબર 2010ના રોજ રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વમાં પ્રખ્યાત ગાયિકા કેટી પેરી સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમનું કહેવું છે કે હિંદુ ધર્મ માનવ આત્માને મુક્તિનો માર્ગ બતાવે છે. તમને જણાવી દઈએ કે રસેલ 14 વર્ષની ઉંમરે શાકાહારી બની ગયો હતો અને તે દરરોજ કલાકો સુધી ધ્યાન કરે છે અને મંદિરોમાં ભગવાન કૃષ્ણના ભજન ગાય છે. બ્રાન્ડે માંસાહારી ખોરાક પણ છોડી દીધો છે અને સંપૂર્ણપણે શાકાહારી થઈ ગયો છે.

સર્વગ્રાહી કોમેડિયન રસેલ બ્રાંડે યોગ કરીને પોતાની જાતને પુનઃશોધ કરી છે. યોગાએ અભિનેતાને ખોટા રસ્તેથી પાછો લાવ્યો છે. રસેલ ડ્રગ્સ અને એડિક્શન જેવી બાબતો માટે સમાચારમાં હતો. પણ ત્યારથી તેણે યોગનો માર્ગ પસંદ કર્યો. તે આ બધી ખોટી બાબતોથી દૂર થઈ ગયો.

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે દેશભરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. શરીરને સ્વસ્થ અને રોગોથી મુક્ત રાખવા માટે નિયમિત રીતે યોગાસન કરવાથી ઘણો ફાયદો થાય છે. યોગથી અત્યાર સુધીમાં અનેક લોકોના જીવનમાં સુધારો થયો છે. જે લોકો પોતાના જીવનથી નિરાશ હતા. તેમના માટે પણ યોગ વરદાન સમાન સાબિત થયો છે.

Subscribe

Latest stories

spot_img