HomeNationalમહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની તૈયારી, શિવસેનાના 12 ધારાસભ્યો પહોંચ્યા ગુજરાત, ઉદ્ધવે બોલાવી ઈમરજન્સી...

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની તૈયારી, શિવસેનાના 12 ધારાસભ્યો પહોંચ્યા ગુજરાત, ઉદ્ધવે બોલાવી ઈમરજન્સી બેઠક

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Preparations for political

  • ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીમાં જંગી ક્રોસ વોટિંગ થયું હતું. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર રાજકીય ઉથલપાથલના (Political upheaval) સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં, ભાજપે શિવસેનાના (Shiv Sena) નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો અને મંગળવારે શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત (Gujarat) પહોંચ્યા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રમવાની તૈયારી ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે શિવસેનાના 10-12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં છે. ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીમાં જંગી ક્રોસ વોટિંગ થયું હતું. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે. જ્યારે ભાજપે એકલા પાંચ બેઠકો જીતી હતી, શિવસેના અને એનસીપીએ બે-બે બેઠકો જીતી હતી.

જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ રાજ્યસભાની ચૂંટણી પછી સતત બીજી વખત એમવીએના આંચકાથી ચિંતિત છે. તેમણે આજે બેઠક બોલાવી છે. ક્રોસ વોટિંગનો ડર વધી ગયો છે કારણ કે શિવસેનાને તેના 55 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સમર્થન હોવા છતાં માત્ર 52 મત મળ્યા છે.

સુરતની હોટલ ધ ગ્રાન્ડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સામે આવ્યું

સુરતની હોટલ ધ ગ્રાન્ડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલના 100 મીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં બાલા સાહેબ નેશનલ મેમોરિયલના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીના કાર્યક્રમની એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ન હોતું.

મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.

Subscribe

Latest stories

spot_img