Sunday, Sep 14, 2025

સુરેન્દ્રનગરમાં સગીરા પર 8 નરાધમોનું દુષ્કર્મ

2 Min Read

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરી લેવામાં આવી હતી.

After the order of the High Court, the complaint of the widow was registered | બે નણદોઈએ વિધવા પર દુષ્કર્મ આચર્યું: પીડિતા ધોરાજી પોલીસમાં FIR નોંધાવા ગઈ તો પોલીસે સહકાર ન આપ્યો,

સગીર પીડિતાની માતાએે આઠ નરાધમો સામે થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. આઠ શખસો માંથી કેટલાક આરોપીઓ દ્વારા 17 વર્ષીય સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદ કરાઈ છે. અલગ અલગ 8 શકસોએ છેલ્લા સાત મહિનામાં સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ ફરિયાદમાં 8 આરોપીઓના નામ આપ્યા છે.

આ આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ

  • અજય ભરવાડ
  • અજય અલગોતર
  • શૈલેષ અલગોતર
  • ધ્રુવ ચાવડા
  • કૌશિક ગોસ્વામી
  • વિજયસિંહ સોલંકી
  • દર્શન સદાદિયા
  • કાનો ઉર્ફે હરી

પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં આઠ લોકોના નામ છે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ બનાવ સામુહિક દુષ્કર્મનો નથી. તમામ બનાવ છેલ્લા સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ બન્યા છે.

આ પણ વાંચો :-

Share This Article