HomeNationalછત્તીસગઢમાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં ૮ નક્સલી ઠાર ૧ જવાન શહીદ

છત્તીસગઢમાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં ૮ નક્સલી ઠાર ૧ જવાન શહીદ

Date:

Related stories

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. નારાયણપુર જિલ્લાના માડમાં છેલ્લા બે દિવસથી સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP ૫૩મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે.

છત્તીસગઢમાં 15 દિવસમાં બીજું મોટું નક્સલ વિરોધી ઓપરેશન, આ વર્ષે અત્યાર સુધીમાં 91 નક્સલવાદીઓનો ખાત્મો - Second major anti naxal operation in 15 days in Chhattisgarh, 91 ...છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં વિસ્ફોટની અલગ-અલગ ઘટનાઓ પણ બહાર આવી છે જેમાં સુરક્ષા દળોના ત્રણ જવાન ઘાયલ થયા છે. બસ્તરમાં લેન્ડમાઈન વિસ્ફોટમાં ITBPના બે જવાન ઘાયલ થયા હતા, જ્યારે બીજાપુરમાં પ્રેશર બોંબ વિસ્ફોટમાં સુરક્ષા દળનો એક જવાન ઘાયલ થયો હતો. અબુઝહમદ એક પહાડી, જંગલ વિસ્તાર છે જે નારાયણપુર, બીજાપુર જિલ્લા અને દંતેવાડા જિલ્લામાં આવે છે. ભૌગોલિક રીતે આ એક મોટાભાગે દુર્ગમ વિસ્તાર છે અને આ વિસ્તાર માઓવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર માનવામાં આવે છે. અહેવાલ મુજબ, અબુઝહમદના જંગલમાં આજે સવારે ગોળીબાર શરૂ થયો જ્યારે ચાર જિલ્લા – નારાયણપુર, કાંકેર, દંતેવાડા અને કોંડાગાંવના સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં ગઈ હતી.

ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG),સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ની ૫૩મી બટાલિયન ચાર જિલ્લામાંથી નક્સલવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા આ ઓપરેશનમાં સામેલ છે. આ ઓપરેશન ૧૨ જૂને શરૂ કરવામાં આવ્યું હતું. પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (પીએલજીએ) કંપની નંબર ૬ પર સુરક્ષા દળો દ્વારા આ ઓપરેશન સૌથી મોટો હુમલો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img